IND vs ENG: માન્ચેસ્ટરમાં રમાનારી 5મી ટેસ્ટ રદ થતાં બે દિગ્ગજ અંગ્રેજ પૂર્વ ક્રિકેટરોએ ઈંગ્લેન્ડ પર જ તીર તાક્યા, જાણો શું કહ્યું

|

Sep 11, 2021 | 11:21 AM

ભારતીય ટીમ (Team India)માં કોરોના સંક્રમણ ફેલાવવાને લઈને પાંચમી ટેસ્ટ મેચને રદ કરી દેવામાં આવી હતી. જેના બાદ BCCIએ કહ્યું હતુ કે તે ECB સાથે બાદમાં મેચને આયોજન કરવાને લઈ ચર્ચા કરી રહ્યા છે.

IND vs ENG: માન્ચેસ્ટરમાં રમાનારી 5મી ટેસ્ટ રદ થતાં બે દિગ્ગજ અંગ્રેજ પૂર્વ ક્રિકેટરોએ ઈંગ્લેન્ડ પર જ તીર તાક્યા, જાણો શું કહ્યું
Manchester, old trafford Ground

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ આજથી માન્ચેસ્ટરમાં રમાવાની હતી. પરંતુ ટીમ ઈન્ડીયામાં કોરોના સંક્રમણને કારણે આ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ કહ્યું છે કે તે ECB સાથે આ મેચ બાદમાં કરવા અંગે ચર્ચા કરશે. મેચ શરૂ થવાના થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે આ મેચ નહીં થઈ શકે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચ દ્વારા શ્રેણીનો નિર્ણય લેવામાં આવ્યો હોત, પરંતુ હવે આ માટે રાહ જોવી વધી ગઈ છે. મેચ રદ થયાના સમાચાર બાદ અનેક દિગ્ગજોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને (Michael Vaughan) પોતાની જ ટીમ પર કટાક્ષ કર્યો છે.

 

વોને ઈંગ્લેન્ડના દક્ષિણ આફ્રિકા પ્રવાસને યાદ કર્યો અને એક ટ્વીટ દ્વારા ઈંગ્લિશ ટીમની મજા લઈ લીધી. વોને ટ્વીટ કર્યું, ભારતે ઈંગ્લીશ ક્રિકેટને નિરાશ કર્યું ! પરંતુ ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા ક્રિકેટને નિરાશ કર્યું હતુ ! ઈઁગ્લેન્ડે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની મધ્યમાં વનડે શ્રેણી છોડી દીધી હતી. કારણ કે તેમના કેમ્પમાં કોવિડ 19ના કેસ નોંધાયા હતા. વોને આ તરફ ઈશારો કરતા ટ્વીટ કર્યું હતુ.

 

કેવિન પીટરસને પણ લીધી મજા

વોન સિવાય ઈંગ્લેન્ડના અન્ય એક ભૂતપૂર્વ કેપ્ટને તેમની ટીમને સલાહ આપી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ ટ્વીટ કરીને ઈંગ્લેન્ડના દક્ષિણ આફ્રિકા પ્રવાસને યાદ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ઈંગ્લેન્ડે કોવિડના ડરથી દક્ષિણ આફ્રિકા છોડી દીધું અને આનાથી CSAને ઘણી મુશ્કેલી પડી, તેથી કોઈની સામે આંગળી ચીંધશો નહીં.

 

બાદમાં રમાઈ શકે છે મેચ

મેચની શરૂઆત પહેલા સમાચાર હતા કે આ મેચ આજથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ શકતી નથી. પરંતુ બાદમાં BCCI અને ECBએ પરસ્પર સંમતિથી આ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કેમ્પમાં કોરોનાના વધતા કેસોને જોતા ટીમ ઈન્ડીયાએ મેદાન પર ઉતરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ સ્થગિત કરવી પડી હતી.

 

ટીમ ઈન્ડીયાએ છેલ્લે વર્ષ 2007માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. BCCIએ હવે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે પછીના તબક્કે આ મેચનું આયોજન કરવા માટે ઈંગ્લીશ બોર્ડ સાથે કામ કરશે. BCCIએ કહ્યું કે બંને બોર્ડ ખેલાડીઓની સુરક્ષા સાથે સમાધાન કર્યા વગર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટનું ફરીથી આયોજન કરવા માટે કામ કરશે.

 

ટીમ ઈન્ડીયામાં કોરોનાનો પ્રવેશ

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સૌ પ્રથમ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ પછી ભરત અને શ્રીધરના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા. ત્યારબાદ ટીમના બીજા ફિઝિયો યોગેશ પરમાર પણ કોવિડની ઝપેટમાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચો: Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!

Published On - 6:47 pm, Fri, 10 September 21

Next Article