IND vs ENG: જેમ્સ એન્ડરસના પગમાંથી લોહી વહેતુ રહ્યુ છતા પણ કરતો રહ્યો બોલીંગ, પુજારાને આઉટ કરવાનો રેકોર્ડ જારી રાખ્યો

જેમ્સ એન્ડરસન (James Anderson) ની બોલીંગ 39 વર્ષની ઉંમરે પણ એટલી જ ધારદાર રહી છે કે બેટ્સમેનોએ મુશ્કેલી અનુભવવી પડી રહી છે. પુજારાની વિકેટ લેવાની બાબતમાં એન્ડરસને પોતાનો રેકોર્ડ જારી રાખ્યો છે.

IND vs ENG: જેમ્સ એન્ડરસના પગમાંથી લોહી વહેતુ રહ્યુ છતા પણ કરતો રહ્યો બોલીંગ, પુજારાને આઉટ કરવાનો રેકોર્ડ જારી રાખ્યો
James Anderson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:05 AM

ઈંગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ભારત સામે ઓવલ ટેસ્ટ (Oval Test) માં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા પગના ઘૂંટણમાં ઇજા થઇ હતી, જેના કારણે તેને લોહી વહેવા લાગ્યું હતુ. જેમ્સ એન્ડરસનના ટ્રાઉઝર પર લોહીના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ તે રોકાયો નહીં અને ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રમવાનું ચાલુ રાખ્યું. તેણે પહેલા દિવસે સારી બોલિંગ કરી અને ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ના રૂપમાં મહત્વની વિકેટ પણ લીધી.

ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ, ક્રેગ ઓર્ટન, એન્ડરસન સાથે મળીને ઇંગ્લિશ બોલિંગને સફળ બનાવી. તેઓએ સાથે મળીને ભારતને સતત આંચકા આપ્યા અને બેકફુટ પર રાખવા પ્રયાસ કર્યો હતો. 39 વર્ષનો થયેલો એન્ડરસન તેની બોલિંગમાં કોઈ કમી બતાવી રહ્યો નથી. તે વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાંનો એક છે. તેનો સ્વિંગને લઇને ભારતીય બેટ્સમેનોને હજુ પણ કોઇ જવાબ મળતો નથી.

ઓવલમાં ઇજાના ઘા માંથી વહેતા લોહી સાથે રમીને તેણે ટીમ અને દેશ પ્રત્યેના તેના જુસ્સા અને ઝનૂનની નવી પરિભાષા આપી છે. ચોથી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન પ્રથમ સ્પેલમાં ખાસ રંગમાં દેખાયો નહતો. તેના બોલ પર ઘણાં રન ગયા અને તે બોલને યોગ્ય જગ્યાએ પિચ પણ કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં કેપ્ટન જો રૂટે ચાર ઓવર બાદ જ તેને બોલિંગમાંથી દૂર કરી દીધો હતો. પરંતુ ફરી એટેક પર આવ્યા બાદ એન્ડરસન વધુ સારો જણાયો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

તેણે પુજારાને માત્ર ચાર રન પર આઉટ કર્યો હતો. એન્ડરસનનો બોલ ભારતીય બેટ્સમેનના બેટની ધાર લઈ ગયો અને વિકેટકીપર જોની બેયરસ્ટોના હાથમાં કેચ થઈ ગયો. આ વિકેટ દ્વારા એન્ડરસને આ શ્રેણીમાં પુજારા સામે પોતાનો રેકોર્ડ ચાલુ રાખ્યો હતો. આ શ્રેણીમાં તેણે પુજારાને પ્રથમ ઈનિંગમાં દર વખતે આઉટ કર્યો છે. તેણે પુજારાને દસના આંકડા સુધી પહોંચવા દીધો નથી.

પુજારા સામે મુશ્કેલીઓ જારી રાખી

એન્ડરસને પૂજારાને નોટિંગહામ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ચાર, લોર્ડ્સમાં નવ અને હેડિંગ્લેમાં એક રન પર આઉટ કર્યો હતો. હવે ઓવલ પર ચાર રનમાં જ તેણે પુજારાને પેવેલિયન પરત મોકલી દીધો હતો. રસપ્રદ વાત એ છે કે, આ શ્રેણીમાં એન્ડરસન પુજારાને બીજી ઇનિંગ્સમાં અત્યાર સુધી આઉટ કરી શક્યો નથી.

એન્ડરસને અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 11 વખત આઉટ કર્યો છે. આનો અર્થ એ થયો કે ભારતના ત્રીજા નંબરના બેટ્સમેનને એન્ડરસન કરતાં વધુ વખત કોઈએ આઉટ કર્યો નથી. ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ વખત એન્ડરસનનો શિકાર બનવામાં પુજારા માત્ર સચિન તેંડુલકર (12) થી પાછળ છે.

આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને બહાર રાખવાને લઈને વિવાદ વકર્યો, કોહલીએ કરેલી સ્પષ્ટતા દિગ્ગજોના ગળે ના ઉતરી, ઉલ્ટાનું ‘પાગલપન’ કહી સંભળાવ્યુ!

આ પણ વાંચોઃ IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">