AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Wolrd Cup : વર્લ્ડ કપના સ્થળને લઈ આવ્યું મોટું અપડેટ, અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !

ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપને લઈ સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતમાં કુલ 12 સ્થળોએ મેચોનું આયોજન કરવામાં આવશે, જેની પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

ICC Wolrd Cup : વર્લ્ડ કપના સ્થળને લઈ આવ્યું મોટું અપડેટ, અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !
ICC Wolrd Cup
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:10 PM
Share

ICC વર્લ્ડ કપ 2023ના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં યોજાનાર તમામ વર્લ્ડ કપ મેચો કુલ 12 શહેરોમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટક્કર થઈ શકે છે.

12 શહેરોમાં રમાશે મેચો

ભારતમાં રમાનાર ICC વર્લ્ડ કપનું આવતીકાલે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. જેના એક દિવસ પહેલા સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે. વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કુલ 12 શહેરોમાં કરવામાં આવશે જેના નામ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, મુંબઈ, અમદાવાદ, પુણે, લખનૌ, દિલ્હી, ગુવાહાટી, કોલકાતા અને ધર્મશાળામાં પણ મેચો રમાશે.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અમદાવાદમાં નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે તેમની અરજીને ફગાવી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ODI Wolrd Cup Qualifier : ઝિમ્બાબ્વેએ ODI ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી, ભારત હજી પણ ટોપ પર

આવતીકાલે જાહેર થશે શેડ્યુલ

ICC દ્વારા આવતીકાલે વર્લ્ડ કપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેવર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર ICCએ વર્લ્ડ કપ 2023 માટે BCCI દ્વારા તૈયાર કરાયેલા શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે. એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે તે લગભગ નક્કી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">