AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1500 રૂપિયામાં જીવન ગુજારતો યશસ્વી જયસ્વાલ કેવી રીતે બન્યો કરોડપતિ? જાણો પાણીપુરીની લારીથી ટીમ ઈન્ડિયા સુધીની રોચક સફર

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકા ટેસ્ટમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયાનો ભવિષ્યનો મોટો સ્ટાર માનવામાં આવી રહ્યો છે. આજે યશસ્વીએ તેના સપનાની પહેલી સીડી ચઢી છે. તેની ટીમ ઈન્ડિયા સુધીનું સફળ ઘણી રોચક રહી છે.

1500 રૂપિયામાં જીવન ગુજારતો યશસ્વી જયસ્વાલ કેવી રીતે બન્યો કરોડપતિ? જાણો પાણીપુરીની લારીથી ટીમ ઈન્ડિયા સુધીની રોચક સફર
Yashaswi Jaiswal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:57 PM
Share

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટમાં એક ઓપનરે પણ ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જેને એક સમયે મહિનાના માત્ર 1500 રૂપિયા મળતા હતા, પરંતુ મહેનતના દમ પર તે કરોડપતિ બની ગયો અને હવે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાનું સપનું પણ પૂરું થયું.

પરિવારથી દૂર રહી કર્યો સંઘર્ષ

યશસ્વી જયસ્વાલ પોતાના બેટથી કમાલ કરી રહ્યો છે. તેણે બાળપણમાં જે સપનું જોયું હતું, તે હકીકત બનીને તેની સામે આવ્યું છે. યશસ્વીએ તંબુમાં જાગીને રાતો વિતાવી તેનું પરિણામ તેને મળ્યું છે. 1500 રૂપિયામાં જીવન ગુજારતો જયસ્વાલ આજે કરોડપતિ છે અને હવે તેનું દેશ માટે રમવાનું સપનું પણ સાકાર થયું છે. જયસ્વાલ માટે અહીં પહોંચવું સરળ નહોતું. પરિવારથી દૂર રહીને તેણે ઘણો સંઘર્ષ કર્યો છે.

પિતા દોઢ હજાર રૂપિયા મોકલતા

જયસ્વાલે થોડા સમય પહેલા સ્ટાર સ્પોર્ટસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતાએ કહ્યું હતું કે જો તેને ક્રિકેટ રમવું હોય તો તેણે એકલા રહેવું પડશે. જેથી જયસ્વાલ તેના પરિવારથી દૂર ગયો, પરંતુ તે જાણતો હતો કે જો તેણે કંઈક મેળવવું હોય, તો તેણે કંઈક ગુમાવવું પડશે. તે પછી તે એકલો જ રહ્યો. તે ટેન્ટમાં રહીને પ્રેક્ટિસ કરતો હતો. તેને ખાવા-પીવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તે સમયે તેના પિતા ખર્ચ માટે દોઢ હજાર રૂપિયા મોકલતા હતા, પરંતુ આટલામાં તેને અગવડ પડતી હતી.

આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ પહોંચતાની સાથે જ હોટેલમાંથી ક્યાં ગાયબ થઈ ગયો? જુઓ VIDEO

રાત્રે પાણીપુરી વેચતો હતો

જયસ્વાલ પણ તેના પિતાની હાલત જાણતો હતો, તેથી જ તેણે તેમને વધારે પૂછ્યું નહીં. કાકાને મદદ કરવા માટે તે રાત્રે પાણીપુરી વેચતો હતો. એક દિવસ જે છોકરાઓ તેની સાથે રમતા હતા તે દુકાને આવ્યા. જેને જોઈને જયસ્વાલને ખરાબ લાગ્યું અને ત્યાંથી ભાગી ગયો હતો. તે ખૂબ જ થાકી ગયો હતો, પણ તેણે હાર ન માની. તે પોતાની રમતથી હેડલાઇન્સમાં રહેવા લાગ્યો અને 2020માં IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે તેને 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ પછી તેનું નસીબ બદલાઈ ગયું. ત્યારબાદ તેને રાજસ્થાને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો અને આજે તેણે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">