AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB માં વિરાટ કોહલીની ટીમમાં રહેલા હર્ષલ પટેલે કેપ્ટનશીપની બાબતમાં રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યુ ‘જેવો જોઇ છે તેવો કેપ્ટન છે’

સ્પિન બોલર હર્ષલ પટેલે (Harshal Patel) IPLની છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હતી અને પર્પલ કેપ કબજે કરવામાં સફળ રહ્યો હતો.

RCB માં વિરાટ કોહલીની ટીમમાં રહેલા હર્ષલ પટેલે કેપ્ટનશીપની બાબતમાં રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યુ 'જેવો જોઇ છે તેવો કેપ્ટન છે'
Harshal Patel એ ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યુ હતુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 3:59 PM
Share

ભારતીય સ્પિન બોલર હર્ષલ પટેલ (Harshal Patel) માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યા છે. તેણે પ્રથમ આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે તે પછી તેને ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી. હર્ષલ પટેલ એવા ખેલાડીઓમાંથી એક છે જે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બંનેની કપ્તાની હેઠળ રમ્યા છે. હર્ષલ પટેલે હવે રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે.

RCB માટે છેલ્લી સિઝન રમનાર હર્ષલ પટેલે IPL 2021માં 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમતી વખતે તેને પર્પલ કેપ પણ મળી હતી. ધીમી બોલ પર વિકેટ લેવાની તેની કળા અને બંને બાજુથી સ્વિંગ બોલિંગ કરવામાં સક્ષમ છે. કોહલીએ તેના પર વિશ્વાસ બતાવ્યો અને તે સ્ટાર બની ગયો. જોકે હર્ષલ પટેલને રોહિત શર્માની કેપ્ટન્સી પસંદ છે.

હર્ષલ પટેલને રોહિત શર્માની કેપ્ટન્સી પસંદ છે

IPL બાદ તેને ટીમ ઈન્ડિયાનો ફોન આવ્યો. રોહિત શર્માની કેપ્ટનશિપ વિશે વાત કરતાં પટેલે કહ્યું, ‘રોહિત તમને બોલ આપે છે, જ્યાં તે બોલર પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે છે. તે કહેતો નથી કે શું કરવું અને શું નહીં. પરંતુ તેઓ કહે છે કે તમે જે ઈચ્છો તે કરો. તે એક એવો કેપ્ટન છે અને મને આવા કેપ્ટન સાથે રમવું ગમે છે.

તેણે આગળ કહ્યું, ‘મારી પાસે A, B, C પ્લાન છે તેથી જ્યારે પણ મને બેટ્સમેનો ફટકારતા હોય છે ત્યારે મને ખબર છે કે શું કરવું. મને ગમતું નથી કે ખેલાડીઓ બહારથી ઈનપુટ આપે અને રોહિત બીલકુલ એવા છે મને જેવો કેપ્ટન જોઈએ છે. તે ખૂબ જ હળવા છે અને ઘણી સ્વતંત્રતા આપે છે.

દ્રવિડે ડેબ્યુ પહેલા સલાહ આપી હતી

પટેલે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તે પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો ત્યારે દ્રવિડે તેને એક વાત કહી હતી, ‘અમે જાણીએ છીએ કે તું આત્મવિશ્વાસુ બોલર છે. તુ જાણે છો કે તારે શું કરવાનું છે. તમે કરી શકો કે નહીં, પણ છતાં આ સારી રીતે જાણે છે. હું ઈચ્છું છું કે તમે ત્યાં જાઓ અને તમારી જાતને વ્યક્ત કરો અને આ ક્ષણનો સંપૂર્ણ આનંદ માણો.

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

આ પણ વાંચોઃ PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા ‘ઉડવા’ લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">