AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરમનપ્રીત કૌરે હદ કરી નાખી, ભારતીય કેપ્ટને ફરી બેદરકારીથી ગુમાવી વિકેટ

લગભગ 10 વર્ષ બાદ ભારતની ધરતી પર રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમની મોટાભાગની બેટ્સમેનોએ જોરદાર ઈનિંગ્સ રમી પરંતુ કોઈ મોટો સ્કોર નોંધાવી શકી નહીં. હરમનપ્રીત કૌર આ કરી શકી હોત પરંતુ તે એ જ બેદરકારીનો શિકાર બની હતી જેના કારણે તે થોડા મહિના પહેલા વર્લ્ડ કપમાં આઉટ થઈ ગઈ હતી.

હરમનપ્રીત કૌરે હદ કરી નાખી, ભારતીય કેપ્ટને ફરી બેદરકારીથી ગુમાવી વિકેટ
Harmanpreet Kaur
| Updated on: Dec 15, 2023 | 8:26 AM
Share

એક સમયે કરેલી ભૂલનું પુનરાવર્તન બેદરકારી અને બેજવાબદારીભર્યું ગણાય છે. રમતમાં આવી બેદરકારી માટે બિલકુલ અવકાશ નથી કારણ કે કોઈપણ રમતનો પાયો તેની શિસ્ત હોય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હાલમાં બીજી કેટેગરીમાં હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં તેની ભૂલ હવે બેદરકારી દેખાઈ રહી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કંઈક એવું કર્યું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.

હરમનપ્રીત 49 રન બનાવી આઉટ થઈ

લગભગ 10 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમ પોતાની ધરતી પર ટેસ્ટ મેચ રમવા આવી હતી. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુરુવારે 14મી ડિસેમ્બરથી શરૂ થયેલી આ એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડ સામે ઘણા રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા સિવાય અન્ય તમામ બેટ્સમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 49 રનની ઈનિંગ રમી હતી.

બેદરકારીથી ગુમાવી વિકેટ

ભારતીય કેપ્ટન હરમનપ્રીત મોટી ઈનિંગ રમી શકી હોત પરંતુ એવું થયું નહીં અને આ માટે તે પોતે જ જવાબદાર છે. હરમનપ્રીતે સ્પિનર ​​ચાર્લી ડીનના બોલને ઓફ સાઈડ પર રમી રન લેવા ક્રિઝની બહાર આવી પરંતુ ફિલ્ડરને જોઈને પાછી ફરી. હવે અહીંથી જ તેની બેદરકારી સામે આવી. ઈંગ્લેન્ડના ફિલ્ડર ડેની વ્યાટે તરત જ બોલ બેટ્સમેન તરફ ફેંક્યો. હરમનપ્રીત અહીં થોડી સુસ્ત દેખાતી હતી અને તે ઝડપથી બેટ મૂકી શકતી નહોતી. તેનું બેટ ક્રિઝની બહાર રહ્યું અને બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાયો. 49ના સ્કોર પર રનઆઉટ થતાં હરમનપ્રીતે પરત ફરવું પડ્યું હતું.

View this post on Instagram

A post shared by ICC (@icc)

વર્લ્ડ કપમાં પણ આવી ભૂલ કરી હતી

હવે કોઈ પણ બેટ્સમેન આવી ભૂલ કરી શકે છે પરંતુ હરમનપ્રીત કૌરના મામલામાં સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તે પહેલા પણ આ વર્ષે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં આ રીતે જ આઉટ થઈ ગઈ હતી. ફેબ્રુઆરી 2023માં આયોજિત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હરમનપ્રીત ઓસ્ટ્રેલિયા સામે આવી જ લાપરવાહીના કારણે રનઆઉટ થઈ ગઈ હતી. ત્યારે પણ તેણે ક્રિઝ પર પહોંચવાની ઉતાવળ ન બતાવી અને તેનું બેટ ક્રિઝની બહાર ફસાઈ ગયું. ત્યાંથી મેચ ભારતીય ટીમના હાથમાંથી નીકળી ગઈ હતી.

આ પણ વાંચો: વિરાટ કોહલીને પાછળ છોડી આ મામલે સૂર્યકુમાર યાદવ બન્યો T20નો બીજો ભારતીય બેટ્સમેન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">