Harbhajan Singh: હરભજન સિંહે હવે BCCI ના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ ‘કરિયરમાં ઘણા બધા વિલન રહ્યા’

ભજ્જી એ કહ્ય કરિયર પર એક બાયોપિક ફિલ્મ કે વેબ સિરીઝ બને. જેથી લોકો મારા પક્ષને જોઇ શકે. મે કરિયરમાં શુ કર્યુ અને બાકીના લોકોએ મારી સાથે શુ કર્યુ.

Harbhajan Singh: હરભજન સિંહે હવે BCCI ના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ 'કરિયરમાં ઘણા બધા વિલન રહ્યા'
Harbhajan Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 10:59 AM

હરભજન સિંહે (Harbhajan Singh) નવા વર્ષની શરુઆત ધમાલ સાથે કરી દીધી છે! નવા વર્ષની શરુઆતે જ તેણે BCCI ના કેટલાક અધિકારીઓ પર નિશાન તાક્યુ છે. તેણે પોતાના કરિયર માટે અવરોધ રુપ બાબતોને લઇને આ ગંભીર આરોપો લગાવ્યા છે. આ પહેલા હરભજન સિંહે આંતરાષ્ટ્રિય ક્રિકેટમાંથી વિદાય લેતા ધોની (MS Dhoni) પર આરોપ લગાવ્યા હતા.

ભજ્જી એ ક્રિકેટને અલવિદા કહેવા સાથે જ ચર્ચાઓ જગાવી દીધી છે. મહેન્દ્રસિંહ ધોની તરફ આરોપ લગાવતા નિવેદન કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડના માટે આરોપ લગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજજબ હરભજન સિંહે કહ્યુ હતુ કે, તે સમયે બીસીસીઆઇના કેટલાક અધિકારીઓ નહોતા ઇચ્છતા કે મારી ટીમ ઇન્ડિયામાં વાપસી થાય. તે વખતે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતો અને તેણે પણ અધિકારીઓને સપોર્ટ કર્યો હતો. જો મારી બાયોપિક ફિલ્મ અથવા વેબ સિરીઝ બને છે તો, તેમાં એક નહી પણ અનેક બધા વિલન હશે.

આગળ એ પણ કહ્યુ હતુ કે તેના કરિયર પર એક બાયોપિક ફિલ્મ કે વેબ સિરીઝ બને. જેથી લોકો મારા પક્ષને જોઇ શકે. મે કરિયરમાં શુ કર્યુ અને બાકીના લોકોએ મારી સાથે શુ કર્યુ તે પણ જોઇ શકશે. હું નહી કહી શકુ કે મારી બાયોપિકમાં કોણ વિલન હોઇ શકે છે. જોકે આ બાયોપિકમાં એક નહી અનેક વિલન હશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રિપોર્ટનુસાર ભજ્જી કહ્યુ કે, મારુ નસીબ હંમેશા મારી સાથે રહ્યુ હતુ. ફક્ત કેટલાક બહારના તત્વો જ હતા જે મારા પક્ષમાં નહોતા. કહી શકાય કે તેઓ પુરી રીતે મારા વિરોધમાં હતો. જેનુ કારણ હતુ કે જે રીતે હું બોલીંગ કરી રહ્યો હતો અને શાનદાર રીતે આગળ વધી રહ્યો હતો. હું 31 વર્ષનો હતો અને ત્યારે મેં 400 વિકેટ મેળવી લીધી હતી. ત્યારે મારા મગજમાં વધુ 4-5 વર્ષ ક્રિકેટ રમવાનો વિચાર ચાલી રહ્યો હતો. જો એમ જ થયુ હોત તો હું 100-150 વિકેટ વધુ લઇ શક્યો હતો.

અધિકારીઓ મળેલા!

દિગ્ગજ પૂર્વ ભારતીય સ્પિનરે કહ્યુ કે ત્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમનો કેપ્ટન હતો અને મારુ માનવુ છે કે આ બધી બાબતો ધોનીના માથા પરથી જઇ રહી હશે. જેમાં કેટલાક બીસીસીઆઇ ના અધિકારીઓ મળેલા હતા. જે નહોતા ઇચ્છતા કે હું આગળ રમુ અને કેપ્ટને પણ તેમને સપોર્ટ કર્યો હતો. જોકે કેપ્ટન, કોચ અથવા ટીમ ક્યારેય બીસીસીઆઇ થી મોટા નથી હોતા.

ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી નિવૃત થવાનુ સપનુ

ધોનીને અન્ય ખેલાડીઓના પ્રમાણમાં વધુ અને વધારે સારી રીતે સપોર્ટ મળ્યો હતો. જો આવો સપોર્ટ અન્ય કોઇ ખેલાડીને મળ્યો હોત તો તે પણ વધારે સારી રમત દર્શાવી શક્યો હોત. એવુ તો હતુ નહી કે અન્ય ખેલાડીઓ બોલને સ્વિંગ કરાવવાનુ કે બેટ ચલાવવાનુ ભૂલી ગયા હતા. દરેક ખેલાડીનુ સપનુ હોય છે કે, ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને નિવૃત્તી લે, જોકે આમ બધા ખેલાડીઓની સાથે નથી થતુ હોતુ. તમે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ જેવા અનેક ખેલાડીઓને ઉદાહરણના રુપમાં જોઇ શકો છો.

23 વર્ષની કરિયરમાં હરભજન સિંહે 103 ટેસ્ટ મેચ રમીને 417 વિકેટ ઝડપી હતી અને 236 વન ડે મેચમાં 29 વિકેટ ઝડપી હતી. તેમજ ટી20 ફોર્મેટમાં તેણે 25 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા

આ પણ વાંચોઃ  Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">