Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરભજન સિંહ થયા કોરોના વાયરસથી સંક્રમિત, પોતાને કર્યા આઈસોલેટ, લોકોને કરી આ અપીલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ (Harbhajan Singh) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી લોકોને આપી છે.

હરભજન સિંહ થયા કોરોના વાયરસથી સંક્રમિત, પોતાને કર્યા આઈસોલેટ, લોકોને કરી આ અપીલ
Harbhajan Singh (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 1:04 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ (Harbhajan Singh) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી લોકોને આપી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હરભજને પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેને કોરોનાના હળવા લક્ષણો છે. હરભજને લોકોને અપીલ કરી છે કે, તેઓ સુરક્ષિત રહે અને પોતાનું ધ્યાન રાખે. હરભજન સિંહે ટ્વિટર પર લખ્યું, ‘મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને ઘરે ક્વોરેન્ટાઇન કરી છે અને જરૂરી તમામ સાવચેતી રાખી રહ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું શક્ય તેટલી વહેલી તકે પરીક્ષણ કરાવવા વિનંતી કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો.’

હરભજન સિંહે થોડા સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો હતો. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડીઓની બનેલી ટીમનું નામ ઈન્ડિયા મહારાજા છે, જેણે ગુરુવારે એશિયા લાયન્સ સામે શાનદાર જીત મેળવી હતી.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 47 હજાર નવા કેસ નોંધાયા છે, જ્યારે 703 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 9,692 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે 17.94% છે.

આ પણ વાંચો: IND vs SA: આ ભારતીય બોલરની ધાર થઈ ગઈ ‘નકામી’, એક વર્ષથી ચાલી રહી છે આવી જ પરીસ્થિતિ, બીજી વનડેમાં થશે ફેરફાર?

આ પણ વાંચો: Axar Patel Engagement: અક્ષર પટેલે કરી સગાઈ, જન્મદિવસ નિમિત્તે ગર્લફ્રેન્ડને પહેરાવી વીંટી, જુઓ તસવીરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">