AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે IPL 2022 માં વિરાટ કોહલીના ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું

IPL 2022 : વિરાટ કોહલી (Virat Kohli) એ IPL 2022 માં 300 થી વધુ રન બનાવ્યા હતા અને તેથી જ તેની સિઝન બિલકુલ ખરાબ ન હતી.

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે IPL 2022 માં વિરાટ કોહલીના ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું
Virat Kohli (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 10:02 AM
Share

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) એ RCB ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના IPL 2022 માં ખરાબ ફોર્મ પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેના કહેવા પ્રમાણે લોકો વિરાટ કોહલી વિશે કહી રહ્યા છે કે તે આ સિઝનમાં ખરાબ ફોર્મમાં હતો. પરંતુ તે નથી માનતા કે વિરાટ કોહલીનું ફોર્મ ખરાબ હતું. તેના મતે વિરાટ કોહલીએ આ સિઝનમાં 300 થી વધુ રન બનાવ્યા છે અને તેથી જ તેને એવું નથી લાગતું કે તે ખરાબ ફોર્મમાં હતો. વિરાટ કોહલીએ IPL 2022 માં 16 મેચમાં 22.73 ની એવરેજથી 341 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 115.98 હતો અને તેણે આ સિઝનમાં માત્ર 2 અડધી સદી ફટકારી હતી. આ જ કારણ છે કે ઘણા લોકો માને છે કે વિરાટ કોહલીનું ફોર્મ આ સિઝનમાં એટલું સારું નથી.

વિરાટ કોહલી માટે આ સિઝન ખરાબ રહી નથીઃ વીરેન્દ્ર સહેવાગ

જોકે વીરેન્દ્ર સેહવાગ આ વાત સાથે સહમત નથી. તેના મતે વિરાટ કોહલીએ IPL 2022 માં 300 થી વધુ રન બનાવ્યા હતા અને તેથી જ તેની સિઝન બિલકુલ ખરાબ ન હતી. ક્રિકબઝ પર વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, જ્યારે વિરાટ કોહલીની સિઝન ખરાબ હોય છે, ત્યારે તમે તેને 4 કે 5 વખત ફ્લોપ થશે. પરંતુ તમે તેની પાસેથી એવી અપેક્ષા ન રાખી શકો કે તે 8 મેચો સુધી રન નહીં બનાવે. આમ છતાં તેણે આ વર્ષે 300 થી વધુ રન બનાવ્યા છે. હું એમ નહીં કહું કે તેની આ સિઝન ખૂબ જ ખરાબ હતી.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે થશે. અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ટોસ હાર્યા બાદ પ્રથમ રમતા RCB એ નિર્ધારિત 20 ઓવરમાં 157/8 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. જોસ બટલરે 106 રનની શાનદાર સદી ફટકારી હતી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">