AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIના પૂર્વ અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન, લાંબા સમય સુધી રહ્યા ટીમ ઈન્ડિયાના મેનેજર

BCCIના પૂર્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તેઓ છેલ્લા એક દાયકાથી જેએસસીએના પ્રમુખ પણ હતા.

BCCIના પૂર્વ અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન, લાંબા સમય સુધી રહ્યા ટીમ ઈન્ડિયાના મેનેજર
Former BCCI acting secretary Amitabh Choudhary passes awayImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 3:03 PM
Share

BCCIના પૂર્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અમિતાભ ચૌધરી (Amitabh Choudhary) JSCAના અધ્યક્ષ પણ હતા. અમિતાભ ચૌધરીનું મંગળવારના રોજ સવારે હદય રોગ નો હુમલો આવ્યો હતો. ભારતીય ક્રિકેટમાં આવ્યા પહેલા તે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી પણ હતા. ચૌધરી ઝારખંડ પોલીસ (Jharkhand Police) સર્વિસ કમિશનના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અમિતાભ ચૌધરીનું સૌથી મોટું યોગદાન ઝારખંડની રાજધાની રાંચીમાં એક ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં રહ્યું છે. તેના પ્રયાસોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલની મેચો પણ રાંચીમાં યોજાવા લાગી છે.

ઝારખંડના મુખ્યમંત્રીએ નિધન પર શોક વ્યક્ત કર્યો છે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમિતાભ ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમિતાભ ચૌધરીના નિધનના સમાચારથી હું દુઃખી છું. તેણે ઝારખંડમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું. આ ક્ષેત્રમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. અમે તેમના મૃત્યુથી દુઃખી છીએ અને પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમિતાભ ચૌધરીની સફર

અમિતાભ ચૌધરી આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એન્જિન્યરીંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 1985માં આઈપીએસ બન્યા હતા.1997માં તે રાંચીના એસએસપી બન્યા હતા. વર્ષ 2000માં જમશેદપુરના એસપી બન્યા પરંતુ ફરી નોકરીમાંથી VRS લીધો હતો. ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.ભારતીય ક્રિકેટ સાથે પણ તેનો ગાઢ સંબંધ છે. તેઓ બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે. આ સિવાય તે ઝારખંડ ક્રિકેટ સ્ટેટ એસોસિએશનના પ્રમુખ પણ હતા. એકંદરે, અમિતાભ ચૌધરીએ તેમના 58 વર્ષના જીવનમાં અનેક ઉપલબ્ધિ મેળવી હતી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી વનડે સિરીઝ શરૂ થશે. આ પછી બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે. જ્યારે ત્રીજી વનડે 22 ઓગસ્ટે રમાશે. આ ત્રણેય મેચ હરારેના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">