હજારો ફેન્સે રોહિત શર્મા સામે રાખી માત્ર એક જ માંગ, શું ભારતીય કેપ્ટને પૂરી કરી ચાહકોની માંગ?

બાંગ્લાદેશ સામેની 2-0થી ટેસ્ટ શ્રેણીમાં જીત બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટૂંકા બ્રેક પર છે. આ દરમિયાન તે મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં હાજર રહેલા હજારો ચાહકોએ રોહિત શર્મા સામે એક ખાસ માંગણી કરી હતી.

હજારો ફેન્સે રોહિત શર્મા સામે રાખી માત્ર એક જ માંગ, શું ભારતીય કેપ્ટને પૂરી કરી ચાહકોની માંગ?
Rohit SharmaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 03, 2024 | 6:51 PM

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન જારી છે. તાજેતરમાં જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ સિરીઝ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટૂંકા બ્રેક પર છે. હવે તે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળશે. આ દરમિયાન રોહિત મહારાષ્ટ્રમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. તે અહીં એક ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો. આ દરમિયાન રોહિતને જોવા માટે હજારોની ભીડ પણ જોવા મળી હતી.

ચાહકોએ રોહિત માટે મોટી માંગ કરી

રોહિત શર્માએ આ ઈવેન્ટ દરમિયાન મરાઠીમાં વાત કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. તેની સાથે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રોહિત પવાર પણ જોવા મળ્યા હતા. રોહિત સાથે વાત કરતી વખતે તેણે કહ્યું કે હું સમગ્ર દેશ વતી રોહિતને વિનંતી કરું છું કે આપણને બીજા વર્લ્ડ કપની જરૂર છે અને તે વર્લ્ડ કપમાં આપણે કોને ભારતનું નેતૃત્વ કરતા જોવા માંગીએ છીએ? ચાહકો રોહિત-રોહિતના નારા લગાવવા લાગ્યા. આ પછી તે આગળ કહે છે કે હવે જનતા તમને બીજા વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરતા જોવા માંગે છે. આટલી જ હું વિનંતી કરવા માંગુ છું. આભાર. આ દરમિયાન રોહિત માત્ર હસતો જોવા મળ્યો હતો.

જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

તમને જણાવી દઈએ કે, ભારતે લાંબી રાહ જોયા બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ગયા વર્ષે તેની કપ્તાનીમાં ટીમે ODI વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 11 મેચમાં 54.27ની એવરેજથી 597 રન બનાવ્યા હતા.

રોહિત આગામી વનડે વર્લ્ડ કપ રમશે?

ODI વર્લ્ડ કપની આગામી આવૃત્તિ હવે 3 વર્ષ પછી એટલે કે 2027માં રમવાની છે. આ હિસાબે આગામી વર્લ્ડ કપ સુધીમાં રોહિત 39 વર્ષનો થઈ જશે. જો ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે જ રમાય તો તેની ઉંમર 40 વર્ષની થઈ જશે. આવી સ્થિતિમાં, રોહિત શર્મા તે ઉંમર સુધી વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. તેણે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આવી સ્થિતિમાં તેને હવે ટીમ ઈન્ડિયા માટે માત્ર વનડે અને ટેસ્ટમાં જ રમવાનું છે. જો તે 2027 સુધી ODI ફોર્મેટમાં રમવા માંગે છે, તો તેણે તેની ફિટનેસ પર ઘણું કામ કરવું પડશે, જે છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Irani Cup : ઈશાન કિશને પોતાના જ પગ પર મારી કુહાડી, કરી આ મોટી ભૂલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">