AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG W vs IND W : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર

Women's Cricket World Cup 2022ની 15મી મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આ મેચ માઉન્ટ મૌંગાનુઇ ખાતે રમાશે.

ENG W vs IND W : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર
England and Team India (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 7:08 PM
Share

વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ મિતાલી રાજની ટીમ હવે મહિલા વર્લ્ડ કપમાં (Womens World Cup 2022) બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાવાની છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 3 માંથી 2 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડ પોતાની ત્રણેય મેચ હારી ગયું છે. મતલબ કે ભારત સામેની મેચ ઈંગ્લેન્ડ માટે ઘણી મહત્વની છે. હાર તેને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયાની જીત તેને ટોપ 4ની રેસમાં વધુ મજબૂત બનાવશે.

મહિલા વર્લ્ડ કપમાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ટીમ ત્રીજા નંબર પર છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ત્રણ લીગ મેચ હારીને સાતમા નંબર પર છે. તેની ઉપર બાંગ્લાદેશની ટીમ પણ છે. જેણે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી હતી. હવે ઈંગ્લેન્ડ સામે મજબૂત ભારતીય ટીમ ઈન્ડિયા છે. આવો અમે તમને જણાવીએ કે આ મેચ પહેલા તમારે ચાર બાબતો જાણવાની જરૂર છે.

વન-ડે ક્રિકેટમાં ભારત-ઇંગ્લેન્ડ મેચનો ઇતિહાસ

ODI ક્રિકેટમાં ભારત પર ઇંગ્લેન્ડ હાવી રહ્યું છે. જોકે બંને વચ્ચે સખત સ્પર્ધા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે 72માંથી 31 મેચ જીતી છે. 39માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે બે મેચ અનિર્ણિત રહી છે.

ન્યુઝીલેન્ડની ધરતી પર 19 વર્ષ બાદ ટકરાશે

ભારત-ઇંગ્લેન઼્ વચ્ચે ન્યુઝીલેન્ડમાં 7 વન-ડે મેચ રમાઇ છે. જેમાં 3 ભારત અને 4 મેચ ઇંગ્લેન્ડે જીતી છે. ન્યુઝીલેન્ડમાં આ બંને દેશ 19 વર્ષ બાદ ટકરાશે.

વર્લ્ડ કપમાં ઇંગ્લેનડનો રેકોર્ડ શાનદાર

ભારત વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 11માંથી માત્ર 4 મેચ જીતી શક્યું છે. 7 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા છેલ્લી ચાર મેચમાંથી 3 મેચમાં હાર્યું છે.

ભારત માટે લક્ષ્યાંકનો પીછો કરવો એ ફાયદાનો સોદો

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા ટાર્ગેટનો પીછો કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે. ભારતે 19 મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી છે. જેમાંથી તેણે 10માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. 13 મેચોમાં જ્યારે ઈંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ ફિલ્ડિંગ કરવા કહ્યું, જેમાં ભારતે 10 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ માત્ર 3 જીતી શક્યું હતું. મતલબ કે જો ટીમ ઈન્ડિયા ટોસ હારશે તો તેની જીતવાની શક્યતા વધી જશે.

આ પણ વાંચો : IPL 2022 નું ટાઇટલ જીતવા માટે દિલ્હી કેપિટલ્સે દિગ્ગજ ખેલાડીને પોતાની ટીમ સાથે જોડ્યો, ધોની સાથે રમી ચુક્યો છે આ ખેલાડી

આ પણ વાંચો : IND vs ENG, WWC 2022, LIVE Streaming: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ, તમે ક્યાં જોઈ શકો છો, જાણો અહીં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">