IPLને કારણે ઈંગ્લેન્ડ એશિઝ સિરીઝ હાર્યું, 11 હજારથી વધુ રન બનાવનાર દિગ્ગજનું નિવેદન
ઈંગ્લેન્ડ પણ હોબાર્ટ ટેસ્ટ 146 રનથી હારી ગયું, ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી (Ashes Series)4-0થી જીતી લીધી છે.
Ashes Series : ઓસ્ટ્રેલિયા (Australia vs England)ના હાથે 4-0થી મળેલી હાર ઈંગ્લેન્ડને પચતી નથી, તેથી જ કારમી હાર બાદ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ તરફથી વિચિત્ર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. હોબાર્ટ ટેસ્ટમાં કારમી હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન (David Gower)એશિઝ (Ashes )માં હાર માટે આઈપીએલને જવાબદાર ઠેરવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પાંચમી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડની ટીમ 146 રનના મોટા અંતરથી હારી ગઈ હતી, જેના કારણે ઈંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટર ઘણો નાખુશ દેખાયો હતો.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 હજારથી વધુ રન બનાવનાર (David Gower)શરમજનક હાર બાદ કહ્યું, ‘હું જો રૂટ સાથે સહાનુભૂતિ અનુભવું છું. તે ખેલાડીઓ ક્યાં છે? તે આઈપીએલમાં છે. શું ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ માટે આ યોગ્ય છે? આ ક્રિકેટનું સૌથી જૂનું અને સૌથી મહત્વપૂર્ણ ફોર્મેટ છે. આપણે તેને સાચવવાનું છે. અમે ઇંગ્લેન્ડની ટીમ પાસે ઇચ્છીએ કે જે સારું રમે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં તળિયે ન જાય. આ બાબતો લોકોને ખાસ કરીને મને પરેશાન કરે છે.
“Joe Root finds himself with people unavailable, because where are they? The IPL. What good is that for English Test cricket?!
This is the oldest, more important form of the game, we need to defend it.”
Four minutes of David Gower in full flow. Well said, Sir 👏 pic.twitter.com/6eQnYAqra0
— Cricket on BT Sport (@btsportcricket) January 16, 2022
ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેનોના કારણે ઈંગ્લિશ ટીમ હારી ગઈ
ઈંગ્લેન્ડની ટીમ એશિઝ શ્રેણી 0-4થી હારી ગઈ હતી અને સિડનીમાં પણ મેચ ડ્રો કરી હતી. વર્તમાન ઈંગ્લેન્ડની ટીમમાં એવા માત્ર 2 ખેલાડી હતા જેઓ વર્ષ 2021માં આઈપીએલ રમ્યા હતા. જેમાં જોસ બટલર અને જોની બેરસ્ટોનું નામ સામેલ છે. આ ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આઈપીએલમાં એશિઝમાં હારનું કારણ ક્યાં આવ્યું તે કોઈની પણ સમજની બહાર છે.
એશિઝ શ્રેણીમાં માત્ર ઈંગ્લેન્ડના ટેસ્ટ અમુક બેટ્સમેન જ નિષ્ફળ સાબિત થયા હતા. હસીબ હમીદ, જેક ક્રોલી, રોરી બર્ન્સ, ઓલી પોપ કોઈએ સારું પ્રદર્શન કર્યું નથી. રોરી બર્ન્સે 3 ટેસ્ટમાં 12.75ની એવરેજથી 77 રન બનાવ્યા. હસીબ હમીદે 4 ટેસ્ટમાં માત્ર 10ની એવરેજથી 80 રન બનાવ્યા. એલી પોપ 3 ટેસ્ટમાં 11.16ની એવરેજથી 67 રન બનાવી શક્યો. ઈંગ્લેન્ડ તરફથી માત્ર જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. જો કે જોસ બટલર પણ એશિઝમાં ફ્લોપ સાબિત થયો હતો.
જો રૂટ IPL 2022 નહીં રમે
એશિઝ સિરીઝ ખતમ થયા બાદ જો રૂટે પણ IPL 2022ની મેગા ઓક્શનમાં ભાગ ન લેવાની વાત કરી હતી. જો રૂટે કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમને તેની જરૂર છે અને આ સમયે ટેસ્ટ ક્રિકેટનું ધ્યાન રાખવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે જો રૂટ એશિઝ સિરીઝમાં પણ ફ્લોપ રહ્યો હતો. 5 ટેસ્ટમાં તેના બેટમાંથી માત્ર 322 રન જ આવ્યા હતા.