Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખેલાડીએ ટીમ ઈન્ડિયાને બતાવ્યા હતા ખરાબ દિવસો, હવે ભારતનો કોચ બનવા માંગે છે, શું BCCI તૈયાર થશે?

ટીમ ઈન્ડિયા કોચની શોધમાં છે. BCCIએ આ માટે અરજીઓ પણ મંગાવી છે, જેની છેલ્લી તારીખ 27 મે છે. પરંતુ કોઈ પોતાનો કિંમતી સમય ભારતીય ટીમને આપવા તૈયાર નથી. આ દરમિયાન હવે એક અનુભવી ખેલાડીએ BCCIને ફ્રન્ટ ઓફર કરી છે અને કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ ખેલાડીએ ટીમ ઈન્ડિયાને બતાવ્યા હતા ખરાબ દિવસો, હવે ભારતનો કોચ બનવા માંગે છે, શું BCCI તૈયાર થશે?
Graeme Swann
Follow Us:
| Updated on: May 25, 2024 | 10:33 PM

ટીમ ઈન્ડિયા માટે નવા કોચની શોધ ચાલી રહી છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સમગ્ર વિશ્વમાંથી ભૂતપૂર્વ ખેલાડીઓ અને અનુભવી કોચ પાસેથી અરજીઓ મંગાવી છે, જેની છેલ્લી તારીખ 27મી મે છે. અત્યાર સુધી આ પદ માટે એન્ડી ફ્લાવર, રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર, સ્ટીફન ફ્લેમિંગ, મહેલા જયવર્દને, ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ જેવા ઘણા દિગ્ગજ લોકોના નામ સામે આવ્યા છે.

દિગ્ગજોએ ઓફર ઠુકરાવી

આ દિગ્ગજોમાંથી મોટાભાગના લોકોએ રસ દાખવ્યો ન હતો અને ભારતના કોચ બનવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ માટે હવે આ કામ મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાન હવે આવા દિગ્ગજ ખેલાડીએ કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે ભારતીય ટીમને થોડા વર્ષો પહેલા કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

સમયમર્યાદાના 2 દિવસ પહેલા કરી ઓફર

હવે BCCIને અરજી કરવા માટે માત્ર 2 દિવસ બાકી છે, પરંતુ સમયમર્યાદા પહેલા, ઈંગ્લેન્ડના દિગ્ગજ સ્પિનર ​​ગ્રીમ સ્વાને સ્પષ્ટપણે કહ્યું છે કે જો BCCI તેનો સંપર્ક કરશે તો તે તરત જ હા કહી દેશે. દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન તેને આ રોલ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સ્વાને કહ્યું કે ટીમ ઈન્ડિયા ટેલેન્ટથી ભરેલી છે. ભારતની ટીમ ખૂબ જ મજબૂત છે, તેથી આ વિશ્વનું સૌથી મોટું કોચિંગ કામ હશે અને જો તેનો સંપર્ક કરવામાં આવશે તો તે તેના માટે સંમત થવામાં મોડું નહીં કરે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

સ્વાન BCCIના સ્કેલ પર ફિટ બેસે છે

સ્વાને ભલે ઓફર કરી હોય પરંતુ મહત્વની વાત એ છે કે તેની પાસે કોચિંગનો કોઈ અનુભવ નથી. BCCIએ કોચિંગ માટે કેટલીક શરતો રાખી છે. બોર્ડે કહ્યું છે કે જો કોઈ ખેલાડીને કોચિંગનો અનુભવ ન હોય તો તેના માટે ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ અને 50 વનડે મેચ રમવી જરૂરી છે. તે BCCIના આ સ્કેલ પર સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. સ્વાને એન્ડી ફ્લાવર વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે જો એન્ડી ફ્લાવરે હા કહી હોત તો રોહિત શર્માની ટીમ ઘણી નસીબદાર હોત. ઈંગ્લેન્ડના સૌથી સફળ સ્પિનરોમાંથી એક સ્વાન તેની કારકિર્દી દરમિયાન ફ્લાવરના કોચિંગ હેઠળ રમ્યો હતો અને તેને વિશ્વનો શ્રેષ્ઠ કોચ ગણાવ્યો હતો.

ટેસ્ટ મેચમાં 28 વર્ષ બાદ હાર મળી હતી

સ્વાન એ જ ખેલાડી છે, જેની શાનદાર બોલિંગના કારણે 2012માં ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમે 28 વર્ષ બાદ ટેસ્ટ મેચમાં પરાજય આપ્યો હતો. ગ્રીમ સ્વાને આ શ્રેણીમાં કુલ 20 વિકેટ લીધી હતી. તેની ઘાતક બોલિંગે ભારતને ઘૂંટણિયે પડવું પડ્યું અને ઈંગ્લેન્ડે શ્રેણી 2-1થી કબજે કરી. સ્વાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર મજબૂત ગણાતી ભારતીય ટીમને ટેસ્ટમાં ખરાબ દિવસો બતાવ્યા હતા. ત્યારથી, ભારતીય ટીમ આજ સુધી ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. ગ્રીમ સ્વાન ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનર ​​છે. તેણે 60 મેચમાં કુલ 255 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IPL 2024 KKR vs SRH: કોલકાતા નાઈટ રાઈડર્સને નુકસાન થયું, ફાઈનલ પહેલા તક ગુમાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">