ENG vs IND: પહેલી વન-ડેમાં શરમજનક હાર બાદ સુકાની જોસ બટલર પર ઇયોન મોર્ગનનું મોટુ નિવેદન

Cricket : પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડની હાર બાદ ઈયોન મોર્ગને મોટું નિવેદન આપ્યું. તો સાથે જ તેણે જોસ બટલરની કેપ્ટનશીપ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ENG vs IND: પહેલી વન-ડેમાં શરમજનક હાર બાદ સુકાની જોસ બટલર પર ઇયોન મોર્ગનનું મોટુ નિવેદન
Jos Buttler and Eoin Morgan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 11:01 AM

ભારત સામેની પ્રથમ વનડેમાં યજમાન ઈંગ્લેન્ડ (ENG vs IND) ને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર 114 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ અણનમ 77 રનની ઇનિંગ રમી હતી. તો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ 19 રન આપીને 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે મોહમ્મદ શમી (Mohammad Shami) એ 3 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. હવે આ હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની ઈયોન મોર્ગને (Eoin Morgan) વર્તમાન સુકાની જોસ બટલર (Jos Buttler) નો બચાવ કર્યો છે.

પોતાની ભુલથી શીખશે

વાસ્તવમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું કે આ હાર બાદ જોસ બટલર પોતાની ભૂલોમાંથી શીખશે અને જલ્દી જ જોરદાર વાપસી કરશે. તેણે કહ્યું કે મને ખબર છે કે જ્યારે મને આવી હાર મળે છે ત્યારે કેવા પ્રકારની લાગણીઓ થાય છે. જોકે હું માનું છું કે જોસ બટલર આ હારને તક તરીકે જોશે. જોસ બટલર માટે નેતૃત્વ કરવાનો આ યોગ્ય સમય છે. તો તેણે કહ્યું કે હું જાણું છું કે જ્યારે આવી હાર મળે છે ત્યારે ડ્રેસિંગ રૂમમાં બધા તમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડની શરમજનક હાર

મહત્વનું છે કે પ્રથમ વનડે મેચ માં યજમાન ઈંગ્લેન્ડ (England Cricket Team) ને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની આખી ટીમ 25.2 ઓવરમાં માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમ (Team India) એ 18.4 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આ પહેલા ઈંગ્લેન્ડના 4 બેટ્સમેન જેસન રોય (Jason Roy), જો રૂટ (Joe Root), બેન સ્ટોક્સ (Ben Stokes) અને લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) 6 અને મોહમ્મદ શમી એ 3 વિકેટ ઝડપી હતી અને ભારતની જીત માટે મહત્વની ભુમિકા ભજવી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">