VHT 2021: દિનેશ કાર્તિકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં ફટકાર્યુ શાનદાર શતક, IPL મેગા ઓક્શન પહેલા ધમાકેદાર પ્રદર્શન

આ વિકેટકીપર-બેટ્સમેન IPLમાં મુંબઈ, દિલ્હી, ગુજરાત અને કોલકાતાની ટીમો તરફથી રમી ચૂક્યો છે અને આગામી સિઝનમાં કઈ ટીમ જશે તે તો હરાજીમાં જ જાણી શકાશે.

VHT 2021: દિનેશ કાર્તિકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં ફટકાર્યુ શાનદાર શતક, IPL મેગા ઓક્શન પહેલા ધમાકેદાર પ્રદર્શન
Dinesh karthik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 6:23 PM

દિનેશ કાર્તિક (Dinesh Karthik) ની ગણતરી ભારતના અનુભવી ખેલાડીઓમાં થાય છે. જો કે તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા (Team India) ની બહાર છે. તે ટીમ ઈન્ડિયામાં પણ નિયમિત રીતે રમી શક્યો ન હતો. જોકે, આ વિકેટકીપર-બેટ્સમેને IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે અને સતત પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. ફરી એકવાર, કાર્તિકે તેના અનુભવનો સારો ઉપયોગ કર્યો અને યુવા બેટ્સમેન સાથે જોડી બનાવીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકાળ્યો હતો.

કાર્તિકે આ કામ વિજય હજારે ટ્રોફીની ફાઇનલ (Vijay Hazare Trophy final) માં કર્યું છે. તેના રાજ્ય તમિલનાડુની ટીમ (Tamil Nadu Cricket Team) રવિવારે જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) સામે ફાઈનલ રમી રહી છે. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા.

ટીમને આ સ્થાન સુધી લઈ જવામાં કાર્તિકે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે 103 બોલમાં આઠ ચોગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 116 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ ત્યારે આવી જ્યારે ટીમ ગંભીર મુશ્કેલીમાં હતી. તમિલનાડુએ 40ના કુલ સ્કોર પર તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બાબા અપરાજિત પ્રથમ ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. નારાયણ જગદીસને નવ રન બનાવ્યા હતા. આ પછી તમિલનાડુએ બે બોલરો-સાઈ કિશોર અને મુરુગન અશ્વિનને ટોપ પર મોકલ્યા. કિશોર 18 રન અને અશ્વિન સાત રન બનાવી શક્યો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઇન્દ્રજીત સાથે ઇનિંગ્સ સંભાળી

તમિલનાડુની ટીમ અહીં મુશ્કેલીમાં હતી અને આવી સ્થિતિમાં કાર્તિકે પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. તેણે યુવા બેટ્સમેન બાબા ઈન્દ્રજીત સાથે શાનદાર ભાગીદારી કરી હતી. આ જોડીએ પાંચમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી હતી. ઈન્દ્રજીતે 71 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. તે 242ના કુલ સ્કોર પર આઉટ થયો હતો.

તેના ગયા પછી ટીમના સ્કોરમાં માત્ર ચાર રનનો વધારો થયો હતો કે કાર્તિકની ઇનિંગનો પણ અંત આવ્યો. સિદ્ધાર્થ શર્માએ કાર્તિકને આઉટ કર્યો હતો. કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે 2019 વર્લ્ડ કપમાં તેની છેલ્લી મેચ માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. કાર્તિક IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી રહ્યો હતો પરંતુ આ ફ્રેન્ચાઈઝીએ તેને જાળવી રાખ્યો ન હતો. આવતા વર્ષે IPLની મોટી હરાજીમાં કાર્તિક પર ઘણી ફ્રેન્ચાઈઝી દાવ લગાવી શકે છે.

શાહરૂખ, શંકરની આક્રમક રમત

કાર્તિક બાદ એવું લાગ્યું કે હિમાચલની ટીમ તમિલનાડુને મોટો સ્કોર કરવા દેશે નહીં. પરંતુ પછી શાહરૂખ ખાન અને કેપ્ટન વિજય શંકરે ટીમને 300 નો સ્કોર પાર કરવામાં મદદ કરી. શાહરૂખે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. કેપ્ટને 16 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 22 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર માત્ર એક રન બનાવી શક્યો હતો. હિમાચલ પ્રદેશ તરફથી પંકજ જયસ્વાલે ચાર વિકેટ લીધી હતી. કેપ્ટન ઋષિ ધવને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.

આ પણ વાંચોઃ IND vs SA: અશ્વિનને વન ડે ક્રિકેટમાં પણ મળી શકે છે મોકો, 4 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે સિરીઝમાં મળશે મોકો

આ પણ વાંચોઃ Yuvraj Singh: યુવરાજ સિંહના ઐતિહાસિક બેટનો થયો અંતરિક્ષ પ્રવાસ, જાણો શુ છે પૂરો મામલો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">