AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ સામે ન મળી તક, હવે ફિફ્ટી ફટકારી સરફરાઝ ખાને સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ

કાનપુર ટેસ્ટમાં સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી અને મેચના ચોથા દિવસે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો જેથી તે ઈરાની કપમાં તેની ટીમ મુંબઈ તરફથી રમી શકે. સરફરાઝે એવું જ કર્યું અને જોરદાર ઈનિંગ કરીને સાબિત કરી દીધું કે ટીમ ઈન્ડિયા તેને પણ તક આપી શકી હોત.

બાંગ્લાદેશ સામે ન મળી તક, હવે ફિફ્ટી ફટકારી સરફરાઝ ખાને સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ
Sarfraz KhanImage Credit source: PTI
| Updated on: Oct 01, 2024 | 10:22 PM
Share

કાનપુર ટેસ્ટ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. મંગળવારે જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે મેદાનમાં હતી, તે જ સમયે કાનપુરથી લગભગ 100 કિલોમીટર દૂર સરફરાઝ ખાન પણ પોતાના બેટથી દમ બતાવી રહ્યો હતો. કાનપુર ટેસ્ટમાં સરફરાઝને તક મળી ન હતી, પરંતુ તેણે ઈરાની કપમાં પોતાની જોરદાર ઈનિંગ્સથી ટીમ મેનેજમેન્ટના નિર્ણયને ખોટા સાબિત કરી દીધો હતો. માત્ર સરફરાઝ જ નહીં પરંતુ અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરે પણ શાનદાર ઈનિંગ્સ રમી હતી.

મુંબઈ vs રેસ્ટ ઓફ ઈન્ડિયા

રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપની મેચ મંગળવાર 1 ઓક્ટોબરથી લખનૌના એકાના સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. નવી રણજી સિઝન પહેલા યોજાનારી આ મેચ દ્વારા મુંબઈની ટીમને પોતાની તૈયારીઓ કરવાની તક મળી છે, જ્યારે ઘણા એવા ખેલાડીઓ છે જે ટીમ ઈન્ડિયામાં સિલેક્શનના દાવેદાર છે, પરંતુ હાલમાં ટીમની બહાર છે. આ ખેલાડીઓમાં પ્રથમ દિવસ સરફરાઝ, અય્યર અને મુકેશ કુમારના નામે રહ્યો હતો.

રહાણે-શ્રેયસની મજબૂત બેટિંગ

આ મેચમાં મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી, પરંતુ તેમના ટોપ ઓર્ડરને ઝડપી બોલર મુકેશ કુમારે પેવેલિયન પરત મોકલી દીધો હતો. આકાશ દીપના આગમનને કારણે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયેલા મુકેશે પૃથ્વી શો, 17 વર્ષીય નવોદિત આયુષ મ્હાત્રે અને હાર્દિક તામોરને માત્ર 37 રનના સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધા હતા. મુશ્કેલીમાં ફસાયેલી મુંબઈને આવા સમયે તેના સૌથી અનુભવી બેટ્સમેનોની જરૂર હતી અને કેપ્ટન અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરે પણ એવું જ કર્યું. છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા રહાણેએ અય્યર સાથે 102 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ ન થયેલા અય્યરે શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે પોતાની શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 84 બોલમાં 57 રન બનાવ્યા હતા.

સરફરાઝ ખાનની દમદાર ફિફ્ટી

આ પછી રહાણેને સરફરાઝ ખાનનો સપોર્ટ મળ્યો. આ વર્ષે માર્ચમાં ટેસ્ટમાં પદાર્પણ કરનાર સરફરાઝને બાંગ્લાદેશ સામેની કોઈપણ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી અને કાનપુર ટેસ્ટની મધ્યમાં તેને બહાર કરવામાં આવ્યો હતો. સરફરાઝે તેના બેટથી આનો જવાબ આપ્યો અને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી. જો કે તે દિવસનો સ્ટાર કેપ્ટન રહાણે હતો, જેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા લગભગ બંધ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં તેણે મુંબઈને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. રહાણે અને સરફરાઝે સ્ટમ્પ સુધી 98 રનની ભાગીદારી કરીને ટીમને 4 વિકેટે 237 રન સુધી પહોંચાડી દીધી હતી. રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે મુકેશે 3 અને યશ દયાલે 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: હવે દરેક ભારતીય ક્રિકેટરને મળશે વિરાટ-રોહિતની જેમ ‘સિક્યોરિટી’, BCCIએ લીધો ક્રાંતિકારી નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, લવ ગાર્ડનમાં હંગામો
રાજકોટમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, લવ ગાર્ડનમાં હંગામો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">