Cricket: સચિન તેંડૂલકરે કહ્યું કરિયરનો મોટો હિસ્સો માનસિક તાણમાં વિતાવ્યો, રાત્રે સુઇ પણ શકતો નહોતો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ ક્રિકેટના મેદાનમાં 24 વર્ષની લાંબી સફર ખેડી હતી. જોકે તેની આ લાંબી કરિયર દરમ્યાનનો અડધો હિસ્સો તો તણાવમાં જ ગુજાર્યો હોવાનુ કબુલ્યુ છે. જોકે તણાવમાં રહ્યા બાદ તેઓ એ વાતને સમજી શક્યા હતા કે, મેચ પહેલા તણાવ રમતની તૈયારીનો મહત્વનો હિસ્સો છે.

Cricket: સચિન તેંડૂલકરે કહ્યું કરિયરનો મોટો હિસ્સો માનસિક તાણમાં વિતાવ્યો, રાત્રે સુઇ પણ શકતો નહોતો
Sachin Tendulkar
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 17, 2021 | 9:32 AM

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ ક્રિકેટના મેદાનમાં 24 વર્ષની લાંબી સફર ખેડી હતી. જોકે તેની આ લાંબી કરિયર દરમ્યાનનો અડધો હિસ્સો તો તણાવમાં જ ગુજાર્યો હોવાનુ કબુલ્યુ છે. જોકે તણાવમાં રહ્યા બાદ તેઓ એ વાતને સમજી શક્યા હતા કે, મેચ પહેલા તણાવ રમતની તૈયારીનો મહત્વનો હિસ્સો છે. સચિન એ બાયોબબલ (Biobubble) ને લઇને પણ ખેલાડીઓ પર તેમના માનસિક સ્વાસ્થ્ય (Mental Fitness) પર અસર પડવાને લઇને વાત કરવા દરમ્યાન પોતાની વાતોને પણ રજૂ કરી હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ સચિન તેંડુલકરે કહ્યુ હતુ કે, સમયની સાથે મેં પણ મહેસુસ કર્યુ છે કે, રમતમાં શારીરિક રીતે તૈયાર રહેવા સાથે માનસિક રીતે પણ તૈયયાર રહેવુ પડે છે. મારા દિમાગમાં પણ મેચના શરુ થવા પહેલા જ કેટલાંક સમય અગાઉ મેચ શરુ થઇ જતી હતી. તણાવનુ સ્તર પણ ઉંચુ રહેતુ હતુ.

આગળ પણ વાત કરતા સચિન કહ્યુ, મે દસ થી બાર વર્ષ સુધી તણાવ મહેસુસ કર્યો હતો. મેચ પહેલા અનેક વાર એમ થતુ હતુ કે, હું રાત્રે સુઇ પણ શકતો નહોતો. બાદમાં મે એ સ્વિકાર કરવાનો શરુ કરી દીધો હતો કે, આ મારી તૈયારીનો હિસ્સો છે. મે સમય સાથે તેનો સ્વિકાર કરી લીધો હતો કે, મને રાત્રે સુવામાં પરેશાની થતી હતી. હું મારા મગજને સહજ રાખવા માટે કંઇક બીજુ કરવા લાગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સચિન કેટલુક અન્ય કરવાની યાદીમાં બેટીંગનો અભ્યાસ, ટીવી જોવાનુ અને વિડીયો ગેમ્સ રમવાની તેમજ સવારે ચા બનાવવા જેવુ સામેલ કરી લીધુ હતુ. મને મેચ પહેલા ચા બનાવવાની, કપડા ઇસ્ત્રી કરવા જેવા કાર્યોથી ખુદને રમત માટે તૈયાર કરવા માટે મદદ મળતી હતી. મારા ભાઇ એ મને આ બધુ શિખવ્યુ હતુ. હું મારી મેચના એક દિવસ પહેલા જ મારી બેગ તૈયાર કરી લેતો હતો અને તે એક આદત બની ગઇ હતી. મેં ભારત માટે રમેલી અંતિમ મેચમાં પણ આમ જ કર્યુ હતુ.

જ્યારે તમે ઇજાગ્રસ્ત થાઓ ત્યારે તબીબ અને ફિઝીયો તમારી સારવાર કરે છે. માનિસિક સ્થિતિના મામલામાં પણ આવુ જ છે. કોઇના પણ માટે જીવનમાં સારો ખોટો સમયનો સામનો એ સામાન્ય વાત છે. તેને માટે તમારે બાબતો નો સ્વિકાર કરવો પડશે. આ ફક્ત ખેલાડીઓ માટે નથી. તેમના માટે પણ આ વાત લાગુ પડે છે, જેઓ તેમની સાથે છે. જ્યારે તમે આનો સ્વિકાર કરી લો છો, પછી એનુ સમાધાન શોધવાની કોશિષ કરો છો.

તેંડુલકરે ચેન્નાઇની એક હોટલના કર્મચારીને યાદ કરીને કહ્યુ કે, કોઇ પણ કોઇનાથી પણ શીખી શકે છે. તેમણે કહ્યુ કે, મારા રુમમાં એક કર્મચારી ઢોંસો લઇ ને આવ્યો હતો. તેણે તેને ટેબલ પર રાખીને એક સલાહ આપી, તેણે કહ્યુ કે મારા એલ્બો ગાર્ડને કારણે મારુ બેટ પુર્ણ રીતે નથી ચાલી રહ્યુ. તે હકિકતમાં જ સાચુ તારણ હતુ. તેણે મને આ સમસ્યા થી બહાર આવવામાં મદદ કરી દીધી હતી.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">