Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન ? શાહબાઝ શરીફને PCB ચેરમેન મળ્યાં

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં, આગામી 15 ફેબ્રુઆરીએ ટકરાશે. પરંતુ એક એવા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, ભારત સામેની મેચ રદ કરવાની યોજના બનાવી રહ્યું છે.

Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન ? શાહબાઝ શરીફને PCB ચેરમેન મળ્યાં
| Edited By: | Updated on: Jan 26, 2026 | 6:56 PM

IND vs PAK: ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ક્રિકેટ જગતમાંથી એવા અહેવાલો સૂચવે છે કે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે. આ મેચ આગામી 15 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાવાની છે. જો કે PCB આ મેચને છોડી દેવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, PCB ચેરમેન મોહસીન નકવી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચેની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાથી નારાજ છે, તેથી જ PCB આવી યુક્તિઓ અપનાવી રહ્યું છે.

જો ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો શું

જો ભારત-પાકિસ્તાન મેચ રદ થાય છે, તો તે ICC ને ખૂબ મોટું નાણાકીય નુકસાન પહોંચી શકે છે. T20 વર્લ્ડ કપ ફાઇનલ અને સેમિફાઇનલ મેચ ઉપરાંત, ભારત-પાકિસ્તાન મેચ સૌથી વધુ TRP આપતી રમત છે. આનાથી ICC અને બ્રોડકાસ્ટર્સને વ્યાપક નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. જોકે, આની પાકિસ્તાન ઉપર પણ ભારે નકારાત્મક અસર પડશે, કારણ કે ICC તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ બહિષ્કારનું કહે છે

ટી20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ બહાર થયા પછી, પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ પણ બેહુદા અને વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ ખાને તો વિરોધમાં એવુ કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે પણ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં ના રમવું એ ભારત અને ICC માટે મોટો ફટકો હશે. હવે, પાકિસ્તાની મીડિયામાં ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે. શાહબાઝ શરીફ અને મોહસીન નકવી વચ્ચેની બેઠક પછી આ સમાચારની પુષ્ટિ થયેલ માહિતી ઉપલબ્ધ થશે.

ભારતે ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો ! આજ સુધી ન જોયેલું કારનામું કરી બતાવ્યું, વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડીને રચ્યો ‘ઇતિહાસ’