IPL 2022: અમદાવાદ અને લખનૌ ટીમે આ તારીખ સુધીમાં પોતાના 3-3 ખેલાડીઓ નક્કિ કરવા પડશે, BCCI એ આપી નવી ડેડલાઇન

BCCI એ ગયા વર્ષે ઓક્ટોબરમાં લખનૌ અને અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઈઝીની હરાજી કરી હતી અને મોટી હરાજી પહેલા બંનેને ત્રણ-ત્રણ ખેલાડીઓને સાઈન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

IPL 2022: અમદાવાદ અને લખનૌ ટીમે આ તારીખ સુધીમાં પોતાના 3-3 ખેલાડીઓ નક્કિ કરવા પડશે, BCCI એ આપી નવી ડેડલાઇન
IPL Auction: મોટી હરાજી આગામી ફબ્રુઆરીમાં યોજાનાર છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 10:22 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સિઝનમાં બે નવી ટીમો જોડાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરાજી પ્રક્રિયા દ્વારા અમદાવાદ (Ahmedabad) અને લખનૌ (Lucknow) ફ્રેન્ચાઈઝીને વેચી દીધી હતી, જેને CVC કેપિટલ્સ (અમદાવાદ) અને ગોએન્કા ગ્રુપ (લખનૌ) દ્વારા ભારે કિંમતે ખરીદી લેવામાં આવી હતી. આ સાથે, આ બંને ટીમોને મોટી હરાજી (IPL 2022 Mega Auction) પહેલા 3-3 ખેલાડીઓને સાઈન કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.

પરંતુ CVC કેપિટલ્સના કોન્ટ્રાક્ટ ઇશ્યૂને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. હવે બીસીસીઆઈએ બંને ફ્રેન્ચાઈઝીને નવી ડેડલાઈન જારી કરીને 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. બંને ફ્રેન્ચાઇઝીએ આ તારીખ સુધીમાં બોર્ડને તેમના 3 ખેલાડીઓના નામ જણાવવાના રહેશે.

IPLની 15મી સીઝન પહેલા એક મોટી હરાજીનું આયોજન કરવામાં આવનાર છે. બે નવી ટીમના ઉમેરા સાથે આ હરાજી વધુ મહત્વની બની ગઈ છે. હકીકતમાં, બીસીસીઆઈએ ઓક્ટોબર 2021માં ફ્રેન્ચાઈઝીની હરાજી કરી હતી. આ પછી, હાલની 8 ફ્રેન્ચાઇઝીએ 30 નવેમ્બરના રોજ રીટેન્શન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમના લગભગ તમામ ખેલાડીઓને મુક્ત કર્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જૂની 8 ટીમોએ કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા હતા અને નવી ટીમોને પણ લાભ આપવા માટે બોર્ડે 25 ડિસેમ્બર સુધી 3-3 ખેલાડીઓને સાઇન કરવાની મંજૂરી આપી હતી. સટ્ટાબાજીની કંપનીઓ સાથે સીવીસી કેપિટલ્સની લિંક્સ પ્રકાશમાં આવ્યા બાદ બોર્ડે પ્રક્રિયાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

CVC કેપિટલ્સને મંજૂરી મળી

બીસીસીઆઈએ ગયા મહિને સીવીસી કેપિટલ્સની યોગ્યતા પર એક તપાસ સમિતિની રચના કરી હતી. હવે સ્પોર્ટ્સ વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સીવીસી કેપિટલ્સને બીસીસીઆઈ કમિટી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને બોર્ડ ટૂંક સમયમાં નવા કરાર પર હસ્તાક્ષર કરશે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે આવતા અઠવાડિયે મુંબઈમાં કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સાથે 31 જાન્યુઆરી સુધીમાં 3 ખેલાડીઓને સાઇન કરવાની સમયમર્યાદાનો નિર્ણય પણ IPL ગવર્નિંગ કાઉન્સિલમાં જાહેર કરવામાં આવશે.

ફેબ્રુઆરીમાં મેગા ઓક્શન યોજાશે

BCCI દ્વારા ટુર્નામેન્ટની નવી સિઝન માટે મેગા ઓક્શનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે, તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હરાજી 12-13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થશે. આ હરાજી દ્વારા, તમામ ફ્રેન્ચાઇઝી ફરી એકવાર તેમની ટીમ તૈયાર કરશે, જે આગામી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.

આ પણ વાંચોઃ MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ! 

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયામાં પોતાની ભૂમિકાને લઇને વેંકટેશ ઐયરે કહ્યુ, મારુ કામ ફક્ત ‘ખેલ ખતમ’ કરવાનુ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">