AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: અમદાવાદ અને લખનૌ ટીમે આ તારીખ સુધીમાં પોતાના 3-3 ખેલાડીઓ નક્કિ કરવા પડશે, BCCI એ આપી નવી ડેડલાઇન

BCCI એ ગયા વર્ષે ઓક્ટોબરમાં લખનૌ અને અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઈઝીની હરાજી કરી હતી અને મોટી હરાજી પહેલા બંનેને ત્રણ-ત્રણ ખેલાડીઓને સાઈન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

IPL 2022: અમદાવાદ અને લખનૌ ટીમે આ તારીખ સુધીમાં પોતાના 3-3 ખેલાડીઓ નક્કિ કરવા પડશે, BCCI એ આપી નવી ડેડલાઇન
IPL Auction: મોટી હરાજી આગામી ફબ્રુઆરીમાં યોજાનાર છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 10:22 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સિઝનમાં બે નવી ટીમો જોડાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરાજી પ્રક્રિયા દ્વારા અમદાવાદ (Ahmedabad) અને લખનૌ (Lucknow) ફ્રેન્ચાઈઝીને વેચી દીધી હતી, જેને CVC કેપિટલ્સ (અમદાવાદ) અને ગોએન્કા ગ્રુપ (લખનૌ) દ્વારા ભારે કિંમતે ખરીદી લેવામાં આવી હતી. આ સાથે, આ બંને ટીમોને મોટી હરાજી (IPL 2022 Mega Auction) પહેલા 3-3 ખેલાડીઓને સાઈન કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.

પરંતુ CVC કેપિટલ્સના કોન્ટ્રાક્ટ ઇશ્યૂને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. હવે બીસીસીઆઈએ બંને ફ્રેન્ચાઈઝીને નવી ડેડલાઈન જારી કરીને 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. બંને ફ્રેન્ચાઇઝીએ આ તારીખ સુધીમાં બોર્ડને તેમના 3 ખેલાડીઓના નામ જણાવવાના રહેશે.

IPLની 15મી સીઝન પહેલા એક મોટી હરાજીનું આયોજન કરવામાં આવનાર છે. બે નવી ટીમના ઉમેરા સાથે આ હરાજી વધુ મહત્વની બની ગઈ છે. હકીકતમાં, બીસીસીઆઈએ ઓક્ટોબર 2021માં ફ્રેન્ચાઈઝીની હરાજી કરી હતી. આ પછી, હાલની 8 ફ્રેન્ચાઇઝીએ 30 નવેમ્બરના રોજ રીટેન્શન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમના લગભગ તમામ ખેલાડીઓને મુક્ત કર્યા હતા.

જૂની 8 ટીમોએ કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા હતા અને નવી ટીમોને પણ લાભ આપવા માટે બોર્ડે 25 ડિસેમ્બર સુધી 3-3 ખેલાડીઓને સાઇન કરવાની મંજૂરી આપી હતી. સટ્ટાબાજીની કંપનીઓ સાથે સીવીસી કેપિટલ્સની લિંક્સ પ્રકાશમાં આવ્યા બાદ બોર્ડે પ્રક્રિયાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

CVC કેપિટલ્સને મંજૂરી મળી

બીસીસીઆઈએ ગયા મહિને સીવીસી કેપિટલ્સની યોગ્યતા પર એક તપાસ સમિતિની રચના કરી હતી. હવે સ્પોર્ટ્સ વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સીવીસી કેપિટલ્સને બીસીસીઆઈ કમિટી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને બોર્ડ ટૂંક સમયમાં નવા કરાર પર હસ્તાક્ષર કરશે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે આવતા અઠવાડિયે મુંબઈમાં કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સાથે 31 જાન્યુઆરી સુધીમાં 3 ખેલાડીઓને સાઇન કરવાની સમયમર્યાદાનો નિર્ણય પણ IPL ગવર્નિંગ કાઉન્સિલમાં જાહેર કરવામાં આવશે.

ફેબ્રુઆરીમાં મેગા ઓક્શન યોજાશે

BCCI દ્વારા ટુર્નામેન્ટની નવી સિઝન માટે મેગા ઓક્શનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે, તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હરાજી 12-13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થશે. આ હરાજી દ્વારા, તમામ ફ્રેન્ચાઇઝી ફરી એકવાર તેમની ટીમ તૈયાર કરશે, જે આગામી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.

આ પણ વાંચોઃ MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ! 

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયામાં પોતાની ભૂમિકાને લઇને વેંકટેશ ઐયરે કહ્યુ, મારુ કામ ફક્ત ‘ખેલ ખતમ’ કરવાનુ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">