AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ઓમાન અને UAE માં આયોજન કરીને BCCI કરશે મબલખ કમાણી, રળશે કરોડો રુપિયા !

ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) નું આયોજન BCCI ની પાસે છે. જોકે તેનુ આયોજન ભારતને બદલે UAE અને ઓમાનમાં કરાઇ રહ્યું છે. જેનાથી આટલો નફો રળવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

T20 World Cup: ઓમાન અને UAE માં આયોજન કરીને BCCI કરશે મબલખ કમાણી, રળશે કરોડો રુપિયા !
Souav Ganguly-Jay Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 10:20 PM
Share

આ મહિનાથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આ પહેલા આયોજીત થવાનો હતો. જોકે કોરોનાને કારણે તે રદ કરવામાં આવ્યો હતો. આ પછી તે BCCI ની પાસે આયોજન આવ્યુ હતુ. જે UAE અને ઓમાનમાં તેનું આયોજન થઇ રહ્યું છે. BCCI એ આ ટુર્નામેન્ટની ટિકિટ વેચવાના અધિકાર ઓમાન અને ECB ને આપ્યા છે. તેમને આશા છે કે આ 33 દિવસની ઇવેન્ટની ટિકિટોનુ વેચાણ સારુ થશે.

UAE ક્રિકેટ બોર્ડ (ECB) ને 39 મેચોનું આયોજન કરવા માટે સાત મીલીયન ડોલર આપવામાં આવશે. આ સાથે જ ઓમાન ક્રિકેટને પ્રથમ રાઉન્ડની છ મેચ માટે ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે. આમ છતાં, BCCI ને તેનાથી 12 મીલીયન ડોલરનો ફાયદો થશે. BCCI ની એેપેક્સ કાઉન્સીલે આ અંગે જણાવ્યું છે.

89 કરોડ  વધારપે ખર્ચાશે

BCCI ની એેપેક્સ કાઉન્સીલે એમ પણ કહ્યું કે આ ટુર્નામેન્ટનો કુલ ખર્ચ 25 મીલીયન $ (1 અબજ રૂપિયા 86 કરોડ) છે. આ 12 મીલીયન $ એટલે કે નિયત ખર્ચ કરતાં 89 કરોડ વધુ છે. જો કે તે હજુ પણ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં, T20 વર્લ્ડ કપ પર ખર્ચવામાં આવનાર કિંમત કરતાં ઓછી છે. BCCI એ આ ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને UAE અને ઓમાનમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતુ, BCCI એ હોસ્ટિંગને મુદ્દે ICC સાથે વાત કરી હતી. ખૂબ વિચાર કર્યા પછી, અમે નક્કી કર્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ છે. તેથી જ અમે આને યુએઈ અને ઓમાનમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.

બીસીસીઆઇ પાસે ટિકિટના વેચાણ રાઇટ નહી

BCCI દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ માટે, BCCI યુનાઈટેડ ક્રિકેટ બોર્ડને 1.5 મીલીયન $ (11 કરોડ રૂપિયા) અને ઓપરેશનલ ખર્ચ માટે 5.5 $ મીલીયન આપશે. બીસીસીઆઈ કુલ સાત મીલીયન ડોલર એટલે કે 52 કરોડ આપશે. ઇસીબીનું કામ મેચ દરમિયાન જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવાનું રહેશે. BCCI એ ECB ને તેની ટિકિટ વેચવાના અધિકાર આપ્યા છે, આમાંથી કમાણી પણ ECB રાખશે.

આ પણ વાંચોઃ IPL 2021, RCB vs SRH: બેંગ્લોર સામે હૈદરાબાદે 7 વિકેટે 141 રનનો સ્કોર કર્યો, હર્ષલ પટેલની 3 વિકેટ

આ પણ વાંચોઃ Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">