ભારતીય ટીમ ગુરુવારથી શ્રીલંકા (India Vs Sri Lanka) સામે T20 શ્રેણીની શરૂઆત કરવા જઈ રહી છે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ના સંદર્ભમાં હાલમાં દરેક T20 શ્રેણી ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે. BCCI તૈયારીઓને લઈને કોઈ કસર છોડવા માંગતું નથી, તેથી જ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પહેલાથી જ ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં, બીસીસીઆઈ તેમની મદદ માટે કેટલીક વધુ મર્યાદિત ઓવરોની શ્રેણી ઉમેરી રહ્યું છે.
જો અહેવાલોનુ માનવામાં આવે તો, BCCI જુલાઈમાં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ અને T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા કેટલીક શ્રેણીનું શેડ્યૂલ તૈયાર કરી રહ્યું છે. આ સમયમાં ટીમ ઈન્ડિયા વધુ ત્રણ મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે જે હાલમાં તેના એફટીએફ નો ભાગ નથી. વર્લ્ડ કપ સુધી શ્રીલંકા સામેની હોમ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.
આ વિશે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ ટીઓઆઇ ને કહ્યું, ‘બાયો બબલ બ્રેક વિશે વાતચીત શરૂ થઈ ગઈ છે. આ અંગે તમામ ખેલાડીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા છે. મુખ્ય ટીમ સિવાય અન્ય ટીમ પણ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. એશિયા કપ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે જ્યાં T20 વર્લ્ડ કપ માટે મુખ્ય ખેલાડીઓ નક્કી કરવામાં આવશે. ભારત આ પ્રવાસો પર T20 મેચ રમશે અને અહીં ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક મળશે.
જો કે, ટીમના કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે તેણે T20 વર્લ્ડ કપ માટે મુખ્ય ખેલાડીઓની પસંદગી કરી છે અને તે તેમાં વધુ ખેલાડીઓને સામેલ કરવા નથી ઈચ્છતા. જો કે, ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે, આ પ્રવાસો માટે તેણે વધુને વધુ ખેલાડીઓને પૂલમાં સામેલ કરવા પડશે.
Published On - 9:58 am, Wed, 23 February 22