AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતંકવાદીઓને પકડનાર IPS અધિકારી હવે BCCIમાં કામ કરશે, મળી આ મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે BCCIના એન્ટી કરપ્શન યુનિટના નવા વડાના નામની જાહેરાત કરી છે. નિવૃત્ત IPS અધિકારી શરદ કુમાર આગામી 4 વર્ષ સુધી આ મોટી જવાબદારી સંભાળશે. તેઓ આતંકવાદ વિરોધી સંગઠન (NIA)ના વડા પણ રહી ચૂક્યા છે.

આતંકવાદીઓને પકડનાર IPS અધિકારી હવે BCCIમાં કામ કરશે, મળી આ મોટી જવાબદારી
Board of Control for Cricket in IndiaImage Credit source: PTI
| Updated on: Oct 04, 2024 | 6:36 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. BCCIએ એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના નવા વડાની પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટમાં આ મહત્વની જવાબદારી હવે એક નિવૃત્ત IPS અધિકારી શરદ કુમાર સંભાળશે, જેઓ ચાર વર્ષ સુધી આતંકવાદ વિરોધી સંગઠન (NIA)ના વડા પણ રહી ચૂક્યા છે.

શરદ કુમારને મોટી જવાબદારી મળી

ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી શરદ કુમારને ત્રણ વર્ષ માટે BCCIના એન્ટી કરપ્શન યુનિટના વડા બનાવવામાં આવ્યા છે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે 29 સપ્ટેમ્બરે BCCIની વાર્ષિક સામાન્ય સભામાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. નવું પદ સંભાળ્યા પછી, તેઓ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કૌભાંડોનો સમાવેશ થાય છે.

કોણ છે શરદ કુમાર?

શરદ કુમાર હરિયાણા કેડરના 1979 બેચના IPL અધિકારી છે અને 2013 થી 2017 સુધી આતંકવાદ વિરોધી સંગઠનના વડા હતા. NIAમાં કુમારને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં તકેદારી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ જૂન 2018 થી એપ્રિલ 2020 સુધી રહ્યા હતા. NIAના મહાનિર્દેશક તરીકે ફરજ બજાવતા કુમારે ઘણી મોટી તપાસ અને કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, NIAએ પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા પઠાણકોટ એરબેઝ પરના આતંકવાદી હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓની તપાસ કરી હતી. કુમારે NIAની ક્ષમતાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પૂર્વ IPS અધિકારી કેકે મિશ્રાની જગ્યા લેશે

તમને જણાવી દઈએ કે, શરદ કુમાર હરિયાણા કેડરના પૂર્વ IPS અધિકારી કેકે મિશ્રાની જગ્યા લેશે. કેકે મિશ્રાને ગયા વર્ષે BCCIના એન્ટી કરપ્શન યુનિટના વડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.

આ પણ વાંચો: Irani Cup : શ્રેયસ અય્યર ફરી ખરાબ રીતે નિષ્ફળ ગયો, ટીમ ઈન્ડિયામાં કમબેક વધુ મુશ્કેલ બન્યુ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
g clip-path="url(#clip0_868_265)">