AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIએ સ્ટાફના દૈનિક ભથ્થામાં ઘટાડો કર્યો, ટ્રાવેલ પોલિસી પર પણ કાર્યવાહી કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કર્મચારીઓને દૈનિક ભથ્થાની ચુકવણીની નીતિ સરળ બનાવી છે. હવે બોર્ડના ઉચ્ચ અધિકારીઓ ભથ્થા ચૂકવશે. નવી નીતિ અનુસાર, કેઝ્યુઅલ ભથ્થું દૂર કરવામાં આવ્યું છે.

Breaking News : BCCIએ સ્ટાફના દૈનિક ભથ્થામાં ઘટાડો કર્યો, ટ્રાવેલ પોલિસી પર પણ કાર્યવાહી કરી
| Updated on: Jun 16, 2025 | 10:05 AM
Share

બોર્ડના ટોચના અધિકારીઓએ સ્થાનિક ‘ટુર્નામેન્ટ ભથ્થું નીતિ’ને સરળ બનાવ્યા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના તમામ વિભાગોના કર્મચારીઓના દૈનિક ભથ્થા હવે નિયમિત ધોરણે ચૂકવવામાં આવશે.બોર્ડના ટોચના અધિકારીઓ દ્વારા ઘરેલુ ‘ટુર્નામેન્ટ ભથ્થા જાન્યુઆરીથી આ ભથ્થા ચૂકવવામાં આવ્યા નથી.

BCCI ની વર્તમાન મુસાફરી નીતિ મુજબ, કર્મચારીઓને ટૂંકા ગાળાની મુસાફરી (ચાર દિવસ સુધી) માટે દરરોજ 15,000 રૂપિયા અને લાંબા ગાળાની મુસાફરી માટે દરરોજ 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે જે સામાન્ય રીતે ભારત દ્વારા આયોજિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), મહિલા પ્રીમિયર લીગ (WPL) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સ્પર્ધાઓ સાથે સંબંધિત હોય છે. મુસાફરી દરમિયાન એક વખતનો આકસ્મિક ભથ્થો 7500 રૂપિયા હતો.

પ્રતિદિવસ 10,000 રુપિયા ચૂકવવામાં આવશે

નવી નીતિ અનુસાર આકસ્મિક ભથ્થાને દુર કરવામાં આવ્યું છે અને હવે કર્મચારીઓને યાત્રા દરમિયાન પ્રતિદિવસ 10,000 રુપિયા ચૂકવવામાં આવશે.IPL બે મહિનાથી થોડા વધુ સમય માટે યોજાય છે. જ્યારે ICC ટુર્નામેન્ટ પણ ઓછામાં ઓછા એક મહિના સુધી ચાલે છે.BCCI ના એક સૂત્રએ જણાવ્યું હતું કે સ્રોત પર કર કપાત પછી દૈનિક ભથ્થું રૂ. 6,500 છે.નીતિમાં સુધારો થઈ રહ્યો હોવાથી, BCCI કર્મચારીઓ, જેમાં નાણા, સંચાલન અને મીડિયા વિભાગોનો સમાવેશ થાય છે, તેમને IPL અને WPL માટેનો દૈનિક ભથ્થો ચૂકવવામાં આવ્યો નથી, પરંતુ હવે જ્યારે નીતિ અમલમાં આવી છે, ત્યારે તેમના બાકી લેણાં ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.

કુલ દાવાની રકમ 7 લાખ રૂપિયા

સૂત્રએ જણાવ્યું હતું કે, “ટુર્નામેન્ટ દરમિયાન મુંબઈ મુખ્યાલયથી કામ કરતી વખતે પણ કેટલાક કર્મચારીઓ ભથ્થાંનો દાવો કરી રહ્યા હોવાથી ભથ્થાં અંગે સ્પષ્ટ નીતિની જરૂર હતી. હવે તે તૈયાર થઈ ગયું છે, તેથી બાકીની રકમ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.”

વધુ સ્પષ્ટતા માટે એક કર્મચારી જે 70 દિવસ આઈપીએલનો પ્રવાસ કરી રહ્યો છે. તે 10,000 રુપિયા દૈનિક ભથ્થાને પાત્ર હશે. જેમાં કુલ દાવાની રકમ 7 લાખ રૂપિયા હશે. IPL દરમિયાન મર્યાદિત મુસાફરી કરનાર વ્યક્તિ 70 દિવસના ભથ્થાના માત્ર 60 ટકાનો દાવો કરી શકશે અને જે વ્યક્તિ બિલકુલ મુસાફરી ન કરી રહી હોય તે 70 દિવસ માટે 40 ટકા રકમનો દાવો કરી શકશે.

જ્યાં સુધી વિદેશ યાત્રાનો સવાલ છે તો બીસીસીઆઈ મોટાભાગના કર્મચારીઓને પ્રતિદિન 300 ડોલરનું ભથ્થું આપે છે. અધ્યક્ષ, સચિવ, કોષાધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સંયુક્ત સચિવ સહિત અધિકારીઓને વિદેશ પ્રવાસ પર 1000 ડોલર દૈનિક ભથ્થું મળે છે. તેમણે ભારતમાં એક દિવસની મીટિંગ માટે 40,000 રૂપિયા અને વધારે દિવસોની ઘરેલુ કાર્ય યાત્રા માટે 30,000 રૂપિયા પ્રતિ દિવસ ચૂકવવામાં આવે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">