Bangladesh: સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનના માનસિક થાકના નિવેદન પર બોર્ડ લાલઘૂમ, કહ્યુ IPL માં ખરીદાયો હોત તો શુ કહેતો

બાંગ્લાદેશ (Bangladesh) ના મહાન ખેલાડીઓમાં ગણાતા શાકિબ અલ હસન (Shakib Al hasan) ને IPL માં કોઈ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.

Bangladesh: સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનના માનસિક થાકના નિવેદન પર બોર્ડ લાલઘૂમ, કહ્યુ IPL માં ખરીદાયો હોત તો શુ કહેતો
Shakib Al Hasan એ માનસિક અને શારીરિક થાકને લઇ નિવેદન કર્યુ હતુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 9:01 AM

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) ના પ્રમુખ નઝમુલ હસન (Nazmul Hassan) પોતાના દેશની ટીમના સ્ટાર ખેલાડીઓમાંના એક શાકિબ અલ હસનથી નારાજ છે. નઝમુલે નેશનલ ટીમ માટે શાકિબ (Shakib Al hasan) ની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા છે. શાકિબે તાજેતરમાં કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે થાકી ગયો છે અને તેથી જ તેણે આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જવાને બદલે બ્રેક લેવાની વાત કરી હતી. શાકિબને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આ ખેલાડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. આ માટે નજમુલે શાકિબ ને આડે હાથ લીધો છે.

શાકિબે અગાઉ કહ્યું હતું કે તે IPL ને કારણે આ પ્રવાસ પર નહીં જાય. પરંતુ પછી મેગા ઓક્શનમાં તેને કોઈએ ખરીદ્યો ન હતો, જેના કારણે તેના માટે બાંગ્લાદેશ સાથે રમવાનો વિકલ્પ રહ્યો હકતો. હસનને ત્રણ મેચની ODI અને બે મેચોની ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. પરંતુ રવિવારે શાકિબે કહ્યું કે સતત ક્રિકેટ તેને પરેશાન કરી રહ્યું છે.

નજમુલે સવાલો ઉઠાવ્યા

BCB અધ્યક્ષને શાકિબનું આ વલણ પસંદ ન આવ્યું અને તેને પૂછ્યું કે શું તે IPLમાં સિલેક્ટ થયો હોત તો પણ તેણે આવું કહ્યું હોત. એક મીડિયા હેવાલમાં નજમુલને ટાંકીને કહ્યું હતું કે, જો તેને IPLમાં ખરીદ્યો હોત તો પણ શું તેણે આવું જ કહ્યું હોત? શું તે ત્યારે પણ કહેતો કે તે માનસિક રીતે થાકી ગયો છે?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

છેલ્લી ઘડીએ કહેવાથી મુશ્કેલી ઉભી થઇ

નજમુલે કહ્યું કે તે ઉપલબ્ધ ન હોવાથી તે પરેશાન નથી પરંતુ તેણે છેલ્લી ક્ષણે આવું ન કહેવું જોઈતું હતું. તેમણે કહ્યું, જો તમે રમવા માંગતા ન હોવ તો કૃપા કરીને અમને જણાવો. પરંતુ જો તમને છેલ્લી ઘડીઓમાં જાણકારી મળે તો મુશ્કેલી ઊભી થાય છે. અમે તેની સાથે સાઉથ આફ્રિકા ટૂરનું પ્લાનિંગ કર્યું હતું અને હવે જો તે આવી વાતો કરે તો તેની અસર પ્લાનિંગ પર પડે છે. શું થઈ રહ્યું છે તેની કોચિંગ સ્ટાફના સભ્યો અને સપોર્ટ સ્ટાફને કોઈ જાણકારી નથી.

તેમણે કહ્યું, સાચું કહું તો આ જોઈને આઘાત લાગે છે. મને ખબર નથી કે તે અત્યારે શું કહી રહ્યો છે પરંતુ જ્યારે મેં તેની સાથે છેલ્લીવાર ચટગાંવમાં વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે તે રમશે અને હું એટલું જ જાણું છું.

આ પણ વાંચોઃ IPL 2022: ધોની બેટની ધાર નિકાળવામાં વ્યસ્ત દેખાયો, સુરતમાં ચાલી રહેલ CSK ના ટ્રેનીંગ સેશનમાં ખૂબ પરસેવો વહાવ્યો, જુઓ Video

આ પણ વાંચોઃ IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">