AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Host: પાકિસ્તાનને મળી શકે છે ઝટકારુપ સમાચાર! IPL Playoffs માં નક્કી થશે એશિયા કપની રણનિતી?

IPL 2023: શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને IPL Playoffs માટે નિમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમના આ પ્રવાસ દરમિયાન એશિયા કપને લઈ ચર્ચા થઈ શકે છે, જે પાકિસ્તાનને માટે ઝટકો આપનારી ચર્ચા હોઈ શકે છે.

Asia Cup Host: પાકિસ્તાનને મળી શકે છે ઝટકારુપ સમાચાર! IPL Playoffs માં નક્કી થશે એશિયા કપની રણનિતી?
Asia Cup fate will be decided soon
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 10:37 PM
Share

મંગળવારે IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ રમાનારી છે. આ મેચનુ આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યુ છે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદમાં રમાનારી છે. જોકે આ દરમિયાન એલિમિનેટર મેચ ચેપોકમાં જ રમાનારી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ખાસ મહેમાનને નિંમત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં સિઝનમાં શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વા IPL પ્લેઓફ માટે આવનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપને લઈ ચર્ચા થઈ શકે છે.

એશિયા કપનુ આયોજક આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પહેલા જ સ્પષ્ટ વાત કરી દીધી હતી, કે ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ નહીં ખેડે. આમ એશિયા કપ માટે પાકિસ્તાનમાં પ્રવાસની ભારતે પહેલાથી જ ના ભણી દીધી હતી. તો પાકિસ્તાન પણ પોતાના દેશની બહાર એશિયા કપના આયોજનને લઈ તૈયાર નહી હોવાનો રાગ રટણ કર્યો હતો. ભારતે પહેલાથી જ પોતાની વાત રાખી હતી, ટૂર્નામેન્ટને પાકિસ્તાનથી બહાર આયોજીત કરવામાં આવે. પરંતુ હવે શ્રીલંકા ક્રિકેટ અધ્યક્ષનો ભારત પ્રવાસ એશિયા કપને માટેનો નિર્ણય ઝડપથી લેવા માટે મહત્વનો રહી શકે છે.

Asia Cup નો નિર્ણય ઝડપથી થઈ શકે છે

આ દરમિયાન હવે શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ સંકેત આપ્યા છે કે, એશિયા કપના આયોજન અંગેનો નિર્ણય ઝડપથી સામે આવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સિલ્વાએ બતાવ્યુ હતુ કે, તેમને IPL 2023 Play Offs માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન એશિયા કપને લઈને ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી કોઈ જ નહીં હોય. તેમણે બતાવ્યુ હતુ કે, આગામી થોડાક સપ્તાહમાં એશિયા કપને લઈ નિર્ણય થઈ જશે.

પાકિસ્તાને એશિયા કપને લઈ કેટલાક પ્લાન રજૂ કર્યા હતા. જેમાં ટૂર્નામેન્ટનુ આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવે અને ભારતીય ટીમની મેચને યુએઈમાં રમાડવામાં આવે. પીસીબીના ચેરમેન નજમ શેઠીએ આ પ્લાન રજૂ કર્યો હતો. પાકિસ્તાને તો ભારતના પોતાના દેશમાં પ્રવાસથી દૂર રહેવા પર વિશ્વકપ માટે ભારત પોતાની ટીમ નહીં મોકલવાની વાતો કરી હતી. વનડે વિશ્વકપનુ આયોજન એશિયા કપ બાદ થનારુ છે.

આ પણ વાંચોઃ IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ સામે RCB ની હાર પર ટ્રોલ થઈ ગઈ Anushka Sharma, યુઝર્સ લખી રહ્યા છે આવી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">