AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: વિરાટ કોહલી-રોહિત શર્મા વિના ‘એશિયા કપ’ જીતશે ટીમ ઈન્ડિયા, આપવામાં આવી છે ઓપન ‘ચેલેન્જ’

પહેલા નેપાળને હરાવ્યું, પછી સુપર-4માં પાકિસ્તાનને પછાડ્યું અને છેલ્લી મેચમાં શ્રીલંકા સામે પણ તાકાત બતાવી ટીમ ઈન્ડિયા એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ એકપણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પહોંચી છે અને હવે સુપર-4ના અંતિમ મુકાબલામાં બાંગ્લાદેશ સામે ટીમના પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર થઈ શકે છે, જેમાં સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ટીમ મેદાનમાં ઉતરી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા વિરાટ-રોહિત વિના પણ એશિયા કપ ચેમ્પિયન બની શકે છે.

Asia Cup 2023: વિરાટ કોહલી-રોહિત શર્મા વિના 'એશિયા કપ' જીતશે ટીમ ઈન્ડિયા, આપવામાં આવી છે ઓપન 'ચેલેન્જ'
Virat Kohli & Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 6:02 PM
Share

એશિયા કપ (Asia Cup 2023) માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. આ ટીમ એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે અને હજુ સુપર-4માં એક લીગ મેચ રમવાની બાકી છે. ટીમ ઈન્ડિયાના તમામ મોટા ખેલાડીઓએ એશિયા કપમાં પોતાને સાબિત કરી દીધા છે, પરંતુ આ ટીમમાં એક ખાસ વાત જોવા મળી છે જે ઘણા સમયથી ગાયબ હતી.

ભારતની મજબૂત બોલિંગની ચર્ચા છે. ટીમ ઈન્ડિયા (Team India) પાસે ODI ફોર્મેટમાં ઘણા સારા બોલરો છે પરંતુ તેઓ સ્કોરને બચાવવામાં નબળા દેખાયા હતા પરંતુ એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચોમાં આ નબળાઈ તાકાતમાં ફેરવાઈ ગઈ છે. બોલરોએ એવું પ્રદર્શન આપ્યું છે કે કહી શકાય કે હવે ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા વિના એશિયાની ચેમ્પિયન બની શકે છે.

ભારતીય બોલરોએ પોતાની તાકાત બતાવી

તેમાં કોઈ શંકા નથી કે આજનું ક્રિકેટ બેટ્સમેનો તરફી જણાય છે. એવા ઘણા નિયમો છે જેનાથી બેટ્સમેનોને વધુ ફાયદો થાય છે. આવી સ્થિતિમાં, જે ટીમની બોલિંગ વધુ મજબૂત હોય છે તે હંમેશા વિરોધીઓ પર જીત મેળવે છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સાથે પણ આવું જ જોવા મળી રહ્યું છે. ભલે એશિયા કપ પહેલા પાકિસ્તાની બોલરોને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ જે રીતે પોતાની તાકાત બતાવી છે તે જોઈને કહી શકાય કે ભારતીય બોલિંગ યુનિટ સર્વશ્રેષ્ઠ છે.

વિરોધી ટીમને 200થી ઓછા સ્કોરમાં કર્યું ઓલઆઉટ

એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 128 રનથી હરાવ્યું. જ્યારે મેન ઇન બ્લુએ શ્રીલંકાને 172 રનમાં આઉટ કરી દીધું હતું. મતલબ કે બંને મેચમાં ભારતીય બોલરોએ વિરોધી બેટ્સમેનોને 200ના સ્કોર સુધી પણ પહોંચવા દીધા ન હતા. પ્રથમ બંને મેચમાં જસપ્રીત બુમરાહની પેસ અને કુલદીપ યાદવની સ્પિનનો પાવર જોવા મળ્યો હતો આ બોલરોએ પોતાનો જાદુ બતાવ્યો હતો.

આ પણ વાંચો : IND vs PAK: કર્નલ, મેજર અને DSPની શહીદી બાદ વિરાટ કોહલી કેમ ટ્રોલ થવા લાગ્યો?

બુમરાહના આગમનને કારણે આવ્યો બદલાવ !

હવે સવાલ એ છે કે ટીમ ઈન્ડિયામાં આ અચાનક બદલાવ કેવી રીતે આવ્યો? ભારતીય ટીમની બોલિંગમાં આ તાકાત બુમરાહના આગમનને કારણે છે. આ ખેલાડીએ નવા બોલ સાથે એટલું અદભૂત પ્રદર્શન કર્યું છે કે તમામ દબાણ વિરોધી બેટ્સમેનો પર દેખાઈ રહ્યું છે. બુમરાહના દબાણને કારણે જ કુલદીપ યાદવ સહિત અન્ય ભારતીય બોલરોને વિકેટ લેવાની તક મળી રહી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં બુમરાહે 5 ઓવરમાં માત્ર 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામે પણ તેણે 7 ઓવરમાં માત્ર 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

ભારતની સમગ્ર બોલિંગ લાઈન અપ ફોર્મમાં

જ્યાં એક તરફ બુમરાહ દબાણ બનાવી રહ્યો છે તો બીજી તરફ ચાઈનામેન કુલદીપ યાદવ એક પછી એક વિકેટ લઈ રહ્યો છે. કુલદીપ યાદવે એકલા હાથે પાકિસ્તાનની અડધી ટીમનો સફાયો કરી નાખ્યો હતો. શ્રીલંકા સામે પણ આ ખેલાડી 4 બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુરે પણ જ્યારે પણ તક મળી ત્યારે ટીમને સફળતા અપાવી છે. તે સ્પષ્ટ છે કે ભારતની સમગ્ર બોલિંગ લાઈન અપ ફોર્મમાં છે અને જો ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ સાબિત થાય તો પણ આ ટીમ વિરોધીઓને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
g clip-path="url(#clip0_868_265)">