AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓને બહાર ન જવાની સલાહ કેમ આપવામાં આવે છે?

3 માર્ચ 2026ના ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. સૂતક કાળ અને ગ્રહણ સમય દરમિયાન બહાર ન જવાની પરંપરા પાછળ ધાર્મિક માન્યતાઓ ઉપરાંત કેટલાક વૈજ્ઞાનિક તર્ક પણ દર્શાવવામાં આવે છે.

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓને બહાર ન જવાની સલાહ કેમ આપવામાં આવે છે?
Chandra Grahan 2026 Why Pregnant Women Are Advised to Stay Indoors During Lunar Eclipse Religious and Scientific ReasonsImage Credit source: Social Media
| Updated on: Mar 02, 2026 | 7:41 AM
Share

દર વર્ષે બે કે ત્રણ વખત સૂર્ય અને ચંદ્ર ગ્રહણ જેવી વિશિષ્ટ ખગોળીય ઘટનાઓ બને છે. વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 3 માર્ચે લાગવાનું છે, જે ભારત સહિત અનેક વિસ્તારોમાં દેખાશે. ખગોળશાસ્ત્ર મુજબ, ચંદ્ર ગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક સ્વાભાવિક ખગોળીય પ્રક્રિયા છે, પરંતુ ધાર્મિક પરંપરાઓમાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

સૂતક કાળ મહત્વ

હિંદુ પરંપરામાં ગ્રહણ પહેલાં “સૂતક કાળ” માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ માટે સૂતક સામાન્ય રીતે લગભગ 9 કલાક પહેલાં શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક ક્રિયાઓ ટાળવામાં આવે છે અને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર ન જવા, તીખી વસ્તુઓનો ઉપયોગ ન કરવા અને આરામ કરવાની સૂચવવામાં આવે છે.

બાળક પર નકારાત્મક અસરનો ડર

ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા સક્રિય બને છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ગર્ભમાં વિકસતા બાળક પર અસર પડી શકે છે. પ્રાચીન ગ્રંથોમાં રાહુ અને કેતુની છાયા સાથે ગ્રહણને જોડવામાં આવ્યું છે અને ગર્ભવતી સ્ત્રીઓએ જાપ-ધ્યાન કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

વૈજ્ઞાનિક કારણો

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ચંદ્ર ગ્રહણ સમયે ખાસ હાનિકારક કિરણો પૃથ્વી પર આવતી હોવાનો સ્પષ્ટ પુરાવો નથી. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન તણાવ, ભય અથવા અશાંતિ માતા અને શિશુ બંને માટે હાનિકારક હોઈ શકે છે. તેથી સાવચેતીરૂપે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણમાં રહેવું યોગ્ય ગણાય છે.

ચંદ્રગ્રહણ 2026 સુતક સમયગાળો

3 માર્ચ 2026ના ચંદ્ર ગ્રહણનો સમય બપોરે 3:20થી સાંજે 6:47 સુધીનો રહેશે. સૂતક કાળ સવારે અંદાજે 9 વાગ્યાથી શરૂ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે મુખ્ય સલાહ એ છે કે તેઓ અફવાઓથી દૂર રહી, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવ સાથે આ સમય પસાર કરે.

અંતમાં, ગ્રહણને લઈને ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અલગ હોઈ શકે, પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી, આરામ અને માનસિક શાંતિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

First Solar-Lunar Eclipse 2026: ફાગણમાં દ્વિ-ગ્રહણનો સંયોગ, આ સપ્તાહમાં જ જોવા મળશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ભારત માટે શું રહેશે ખાસ?

સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ
સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ
અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન
અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન
દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર
દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
g clip-path="url(#clip0_868_265)">