AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: પાકિસ્તાની ખેલાડીને ભારતમાં વર્લ્ડ કપ મહા મુકાબલા પહેલા સતાવી રહ્યો છે ‘ડર’

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે સમગ્ર ક્રિકેટ જગતની નજર આ મેચ પર કેન્દ્રિત હોય છે અને તેના કારણે ખેલાડીઓ પર પણ દબાણ હોય છે. આ મેચને લઈને પાકિસ્તાનની ટીમ પર કેટલું દબાણ છે અને તે તેમના મહત્વના ખેલાડીના તાજેતરના નિવેદન પરથી સમજી શકાય છે.

World Cup 2023: પાકિસ્તાની ખેલાડીને ભારતમાં વર્લ્ડ કપ મહા મુકાબલા પહેલા સતાવી રહ્યો છે 'ડર'
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 12:49 PM
Share

ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ (World Cup 2023) રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની (India vs Pakistan) ટીમો આમને-સામને થશે. આ બંનેની મેચ પહેલા 15 ઓક્ટોબરે રમાવાની હતી પરંતુ હવે તે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ બંને ટીમો માટે ખાસ છે. બંને ટીમ આ મેચમાં હારવા માંગતી નથી.

શાદાબ ખાને સાથી ખેલાડીઓને આપી સલાહ

આ મેચનું દબાણ ખૂબ જ રહે છે. આ જોતા પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાનને એક ડર સતાવી રહ્યો છે. શાદાબે પણ પોતાની ટીમને એક પાઠ આપ્યો છે અને કહ્યું છે કે આ મેચ માટે તેની ટીમના ખેલાડીઓએ માનસિક રીતે ખૂબ જ મજબૂત બનવું પડશે.

વર્લ્ડ કપમાં ભારતનો હાથ ઉપર

ODI વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. પાકિસ્તાન વનડે વર્લ્ડ કપમાં એક વખત પણ ભારતથી જીતી શક્યું નથી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને 2023માં ભારતને ચોક્કસપણે હરાવ્યું હતું, પરંતુ જો બંને વર્લ્ડ કપને જોડીએ તો, પાકિસ્તાન માત્ર એક જ વાર ભારત સામે જીત્યું છે.

ભારતમાં સમર્થન મળશે નહીં

ક્રિકેટ પાકિસ્તાન સાથે વાત કરતાં શાદાબે કહ્યું છે કે પાકિસ્તાની ટીમને ભારતમાં દર્શકો તરફથી સમર્થન મળશે નહીં. તેણે કહ્યું કે આથી પાકિસ્તાનની ટીમે માનસિક રીતે ખૂબ જ મજબૂત બનવું પડશે. શાદાબે કહ્યું કે તેના ખેલાડીઓ માનસિક રીતે મજબૂત છે અને તેથી તેને આશા છે કે ટીમ સારી ટૂર્નામેન્ટ રમશે. આ લેગ સ્પિનરે કહ્યું કે જો ટીમ વર્લ્ડ કપ જીતશે તો ‘સોને પે સુહાગા’ આઈસિંગ થઈ જશે. શાદાબે કહ્યું કે દરેક ટીમ વર્લ્ડ કપ જીતવા આવે છે પરંતુ તેઓ ટૂર્નામેન્ટની શરૂઆત કેવી રીતે કરે છે તે ખૂબ મહત્વનું છે કારણ કે તેમને દરેક ટીમ સામે રમવાનું હોય છે.

આ પણ વાંચો : IND vs WI: ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની જીત બાદ અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, જુઓ Video

વર્લ્ડ કપ પહેલા એશિયા કપમાં ટક્કર

બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ તે પહેલા એશિયા કપમાં બંને ટીમો આમને-સામને ટકરાશે. એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ પછી પણ આ ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચે કેટલીક વધુ મેચો થઈ શકે છે. બંને ટીમો હવે દ્વિપક્ષીય શ્રેણી રમશે નહીં અને માત્ર એશિયા કપ અથવા ICC ઇવેન્ટમાં એકબીજાનો સામનો કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
g clip-path="url(#clip0_868_265)">