AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ વખત થશે ટક્કર? જાણો કેવી રીતે

દરેક વ્યક્તિ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જુએ છે અને આ બે ટીમો આ વર્ષે એશિયા કપમાં એક નહીં પરંતુ ત્રણ વખત ટકરાઈ શકે છે.

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ વખત થશે ટક્કર? જાણો કેવી રીતે
India vs Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 7:38 PM
Share

લાંબા સમયથી ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયા કપ-2023ની તારીખોની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે.

આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહેલા ચાહકોનો પણ અંત આવશે. આ બંને ટીમો કાં તો ICC ટૂર્નામેન્ટમાં અથવા એશિયા કપમાં ટકરાતી હોય છે. એશિયા કપમાં બંને ટીમો ખૂબ જ મજબૂત ટીમ તરીકે ઉતરશે.પરંતુ આ એશિયા કપમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે.

કુલ 13 મેચો રમાશે

એશિયા કપના ફોર્મેટ પર નજર કરીએ તો ભાગ લેનારી છ ટીમોને બે-બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. કુલ 13 મેચો રમાશે જેમાંથી ચાર મેચ પાકિસ્તાનમાં અને નવ મેચ શ્રીલંકામાં રમાશે.

ત્રણ વાર થઈ શકે છે ટક્કર

આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર લગભગ નિશ્ચિત છે. જોકે, PCBએ સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું નથી અને માત્ર તારીખો આપી છે.જો ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવે તો આ બંને ટીમો વચ્ચે મેચ નિશ્ચિત છે. લીગ રાઉન્ડ બાદ દરેક ગ્રુપમાંથી બે ટીમો સુપર-4 સ્ટેજમાં જશે અને આ સ્ટેજની ટોપ-2 ટીમો ફાઈનલ રમશે.જો ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં રહેશે તો લીગ રાઉન્ડમાં એક મેચ થશે. આ પછી, જો બંને ટીમો સુપર-4માં આવે છે, તો બંને ટીમો ફરી એકવાર ટકરાશે.

સુપર-4માં પહોંચવું જરૂરી

ગત એશિયા કપના શેડ્યૂલ મુજબ સુપર-4માં પહોંચનારી ટીમ દરેક ટીમ સાથે મેચ રમે છે. એટલે કે જો ભારત અને પાકિસ્તાન સુપર-4માં આવે છે તો અહીં વધુ એક મેચ ફિક્સ થઈ જાય છે. આ પછી, જો આ બંને ટીમો સુપર-4માં ટોપ-2માં રહેશે તો તેઓ ફાઇનલમાં પહોંચી જશે અને આ રીતે આ એશિયા કપમાં આ બંને ટીમો ત્રીજી વખત ટકરાશે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનું ભાગ્ય ન બદલી શક્યો રાહુલ દ્રવિડ, હવે કોચિંગ પર લટકતી તલવાર

ભારત જીતવા પ્રયાસ કરશે

ગત વખતે ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચી શક્યું ન હતું. ટીમ ઈન્ડિયા સુપર-4માંથી જ બહાર થઈ ગઈ હતી. આ વખતે ટીમ ઈન્ડિયા કોઈપણ સંજોગોમાં આ એશિયા કપને જીતવા ઈચ્છશે. આ એશિયા કપથી ભારત અને અન્ય તમામ ટીમો આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી કરશે. સાથે જ પાકિસ્તાન પણ ગત વર્ષે અધૂરું રહી ગયેલું કામ પૂર્ણ કરવા ઈચ્છશે. ગયા વર્ષે બાબર આઝમની કપ્તાનીવાળી આ ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ ફાઇનલમાં શ્રીલંકા સામે પરાજય થયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">