AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC: સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરના નોમિનેશનનુ એલાન, અશ્વિન રેસમાં આવતા જ પાકિસ્તાનમાં આ કારણે મચ્યો હંગામો, જાણો કારણ

ICC એ વર્ષ 2021ના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરનું નામાંકન જાહેર કર્યું છે, ટક્કર જે રૂટ (Joe Root), કાયલ જેમસન, અશ્વિન (Ashwin)અને કરુણારત્ને વચ્ચે છે.

ICC: સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરના નોમિનેશનનુ એલાન, અશ્વિન રેસમાં આવતા જ પાકિસ્તાનમાં આ કારણે મચ્યો હંગામો, જાણો કારણ
Ravichandran Ashwin
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:00 PM
Share

વર્ષ 2021માં સારું પ્રદર્શન કરનારા 4 ખેલાડીઓને ICC દ્વારા સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર (Best Test Cricketer) ની રેસમાં સામેલ કરવામાં આવ્યા છે. મંગળવારે, ICC એ આર અશ્વિન (Ashwin), જો રૂટ (Joe Root), દિમુથ કરુણારત્ને અને કાયલ જેમીશન સહિત ચાર ખેલાડીઓના નામાંકનની જાહેરાત કરી હતી. જોકે ICCની આ જાહેરાત બાદ પાકિસ્તાન (Pakistan) માં હંગામો મચી ગયો છે. ICC દ્વારા ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (Shaheen Afridi) ને સ્થાન ન આપવાને કારણે પાકિસ્તાની ચાહકો અને પૂર્વ ક્રિકેટરો નારાજ છે.

શાહીન આફ્રિદીએ વર્ષ 2021માં સારો દેખાવ કર્યો છે. અશ્વિન બાદ આ ડાબા હાથના ફાસ્ટ બોલરે 47 વિકેટ ઝડપી હતી. શાહીન આફ્રિદીની બોલિંગ એવરેજ 17.06 હતી, જે ખરેખર અદ્ભુત છે, પરંતુ તેમ છતાં તેને ICC દ્વારા સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરના નોમિનેશનમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

રૂટ-અશ્વિન વચ્ચે જોરદાર સ્પર્ધા થશે

ભારત તરફથી સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર બનવાનો ઓફ સ્પિનર ​​આર અશ્વિનનો દાવો ઘણો મજબૂત છે. છેલ્લા એક વર્ષમાં આઠ ટેસ્ટમાં 16.23ની એવરેજથી 52 વિકેટ લેવા ઉપરાંત અશ્વિને સદીની મદદથી 28.08ની સરેરાશથી 337 રન પણ બનાવ્યા હતા. અશ્વિન ઉપરાંત ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાઈલ જેમીસન અને શ્રીલંકાના ઓપનર દિમુથ કરુણારત્નેને પણ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. એવોર્ડના વિજેતાની જાહેરાત 24 જાન્યુઆરીએ કરવામાં આવશે.

ICCએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું, ‘ટેસ્ટ ફોર્મેટમાં ભારતના સૌથી મહાન મેચ-વિનર્સમાંના એક આર અશ્વિને ફરી એકવાર 2021માં વિશ્વના ટોચના સ્પિનરોમાંથી એક તરીકે પોતાની ઓળખ બનાવી. બોલ સાથે તેના જાદુ ઉપરાંત, અશ્વિને બેટ સાથે પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.

અશ્વિને સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 128 બોલમાં 29 રનની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સ સાથે વર્ષની સારી શરૂઆત કરી હતી. હનુમા વિહારી સાથેની ભાગીદારીને કારણે ભારત તે ટેસ્ટ ડ્રો કરવામાં અને શ્રેણી 1-1થી પોતાના નામે કરવામાં સફળ રહ્યું.

2021માં અશ્વિનનું પ્રદર્શન

ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ચાર મેચમાં 14.72ની એવરેજથી 32 વિકેટ લેવા ઉપરાંત બેટ વડે 189 રનનું યોગદાન આપ્યું હતું. ઓફ-સ્પિનરે સાઉધમ્પ્ટનમાં ફાસ્ટ બોલર-ફ્રેંડલી પિચ પર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ચાર વિકેટ પણ લીધી હતી. ઈંગ્લેન્ડમાં ચારેય ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યા બાદ અશ્વિન ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામે ઘરની ધરતી પર ચમક્યો. બે મેચમાં 11.36ની એવરેજથી 14 વિકેટ લેવા અને કાનપુર ટેસ્ટમાં બેટિંગ કરવા બદલ તેને ફરી એકવાર પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો.

આ પુરસ્કારો આપવામાં આવશે

ICC પુરસ્કારોમાં કુલ 13 વ્યક્તિગત પુરસ્કારો અને પુરૂષ અને મહિલા ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્ષની શ્રેષ્ઠ ટીમ માટે કુલ પાંચ પુરસ્કારોનો સમાવેશ થાય છે. વ્યક્તિગત કેટેગરીના અન્ય પુરસ્કારોમાં વર્ષના સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી, મહિલા ક્રિકેટર ઓફ ધ યર માટે રાચેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી, વન-ડે ઈન્ટરનેશનલ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, મહિલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર, મેન્સ સર્વશ્રેષ્ઠ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર, ઇમર્જિંગ મેન્સ પ્લેયર ઓફ ધ યર, ઇમર્જિંગ વિમેન્સ પ્લેયર ઓફ ધ યર, મેન્સ એસોસિયેટ પ્લેયર ઓફ ધ યર, વિમેન્સ એસોસિયેટ પ્લેયર ઓફ ધ યર, સ્પોર્ટ્સમેનશિપ એવોર્ડ અને અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ.

આ પણ વાંચોઃ Ashes 2021: એશિઝ હારવાને લઇ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટનુ તૂટ્યુ દિલ, સિરીઝ સમાપ્ત થતા જ છોડી દેશે કેપ્ટનશિપ!

આ પણ વાંચોઃ Ashes 2021: 4 ઓવર, 1 મેડન, 7 રન અને 6 વિકેટ… સ્કોટ બોલાંડે ટેસ્ટ ડેબ્યૂ કરતા રચ્યો ઇતિહાસ, એક થી એક ચડિયાતા રેકોર્ડ સર્જ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">