T20 world Cup: જે ત્રણ મહિના પહેલા નહોતો દાવેદાર તે હવે વિશ્વકપ રમશે, જાણો આ ક્રિકેટરની કહાની

આ ખેલાડીએ IPL માં રમીને પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ છ મહિના પહેલા કોઈએ વિચાર્યું ન હતું કે આ ખેલાડી T20 વર્લ્ડ કપ (T20 world Cup) માટે ટીમ ઈન્ડિયા (Team India) માં પસંદ થશે.

T20 world Cup: જે ત્રણ મહિના પહેલા નહોતો દાવેદાર તે હવે વિશ્વકપ રમશે, જાણો આ ક્રિકેટરની કહાની
Arshdeep Singh એ એશિયા કપમાં પણ પ્રભાવિત કર્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 11:57 PM

ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 world Cup 2022) માટે સોમવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઘણા યુવા સ્ટાર્સને સ્થાન મળ્યું છે, પરંતુ આ ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે છ મહિના પહેલા સુધી ટીમ ઈન્ડિયા (Team India) ની આસપાસ નહોતો. આ ખેલાડી છે અર્શદીપ સિંહ (Arshdeep Singh). યુવા ભારતીય સ્ટાર અર્શદીપ સિંહ પંજાબથી આવે છે. તેના પિતાએ તેને ક્રિકેટર બનવાની પ્રેરણા આપી હતી. તેના ઘરની નજીકના એક પાર્કમાં તેના પિતા દર્શન સિંહે અર્શદીપને ઈનસ્વિંગર ફેંકતા જોયો અને તેને ચંદીગઢમાં જસવંત રાયની એકેડમીમાં દાખલ કરાવ્યો.

અર્શદીપના ઘરથી તેની એકેડમી ઘણી દૂર હતી. તેમનું ઘર ખરારમાં હતું અને તેમની એકેડમી ચંદીગઢમાં હતી. તે અત્યાર સુધી સાયકલ પર જતો હતો. તેના કોચે એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે એક વાક્યથી તેને ખાતરી થઈ ગઈ છે કે તે પોતાના દેશ માટે રમશે.

કોચ તેનાથી ખુશ થયા

કોચે જણાવ્યું હતું કે એકવાર અર્શદીપ પગપાળા એકેડમી આવ્યો હતો કારણ કે તેની સાઇકલ ખરાબ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, “તે ઉનાળાનો સખત દિવસ હતો અને અર્શદીપ સવારે પ્રેક્ટિસ કરવા માટે ઘણો મોડો આવ્યો હતો. પ્રેક્ટિસ 5:30 વાગ્યે શરૂ થતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે મને કહ્યું કે કોઈ પણ સજા આપશો. પ્રેક્ટિસ પછી, મેં જોયું કે પાર્કિંગમાં કોઈ સાયકલ નહોતી. મેં તેને સાઈકલ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે સાઈકલ ખરાબ થઈ ગઈ છે. તે ઘરેથી પગપાળા આવ્યો છે. તે મને અગાઉ કહી શક્યો હોત પણ તેણે તેમ ન કર્યું. તે દિવસે મને ખબર પડી કે તે ભારત માટે રમવાનો ઉત્સાહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

બે મહિનામાં વર્લ્ડ કપની ટીમમાં

અર્શદીપે આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. IPL-2022 માં તેણે સાબિત કર્યું કે તે પોતાની રમતમાં સતત સુધારો કરી રહ્યો છે. તેના આધારે તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થઈ હતી. અહીંથી અર્શદીપે એવી રમત દેખાડી કે તે T20 વર્લ્ડ કપ માટે ટીમમાં આવી ગયો. ડેથ ઓવરોમાં ચુસ્ત બોલિંગ કરવી તેની ખાસિયત છે. તેના યોર્કર્સ બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થયા છે. તેણે ભારત માટે અત્યાર સુધી 11 ટી20 મેચ રમી છે અને 14 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આટલી ઓછી મેચોમાં અર્શદીપે પોતાને T20 વર્લ્ડ કપની ટીમનો દાવેદાર જાહેર કર્યો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">