મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં મેથ્યુઝે શાકિબ પર કર્યા પ્રહાર, કહી મોટી વાત

બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને ટીમની જીત બાદ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેને પોતાના નિર્ણય પર અફસોસ નથી અને તેણે જે પણ કર્યું તે ક્રિકેટના નિયમો અનુસાર છે. શાકિબે સ્પષ્ટ કહ્યું કે તેણે આ તક પોતાની ટીમની જીત માટે લીધી છે અને તે ટીમની જીત માટે કંઈ પણ કરશે.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં મેથ્યુઝે શાકિબ પર કર્યા પ્રહાર, કહી મોટી વાત
Time Out Controversy
Follow Us:
| Updated on: Nov 07, 2023 | 8:06 AM

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી રમાયેલી છેલ્લી 37 મેચોમાંથી ભાગ્યે જ કોઈ મેચના અંતની એટલી રાહ જોવાઈ હશે જેટલી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે નવી દિલ્હીમાં રમાયેલી 38મી મેચની હતી. બાંગ્લાદેશ સામે ‘ટાઈમ આઉટ’ આપવામાં આવેલા શ્રીલંકાના દિગ્ગજ મેથ્યુઝે મેચ દરમિયાન વધુ ગુસ્સો દર્શાવ્યો ન હતો.

મેચ સમાપ્ત થયા બાદ શ્રીલંકાના ભૂતપૂર્વ સુકાની એન્જેલો મેથ્યુઝે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર આકરા પ્રહારો કર્યા હતા. મેથ્યુઝે શાકિબની હરકતને શરમજનક ગણાવી હતી.

મેથ્યુસને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો

6 નવેમ્બર સોમવારના રોજ રમાયેલી આ મેચમાં એક એવી તસવીર જોવા મળી જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 146 વર્ષમાં ક્યારેય જોવા મળી ન હતી. તેનો શિકાર શ્રીલંકાનો ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ બન્યો હતો. શ્રીલંકાના દાવની 25મી ઓવરમાં, એન્જેલો મેથ્યુસ 2 મિનિટના નિર્ધારિત સમયમાં રમવા માટે તૈયાર ન હોવાને કારણે ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રીતે આઉટ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ત્યારથી તે વિવાદનો મુદ્દો બની ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

સુકાની શાકિબે બાંગ્લાદેશને જીત અપાવી

બાંગ્લાદેશે પોતાની જોરદાર બેટિંગથી આ મેચ જીતી લીધી હતી. જીતનો સ્ટાર સુકાની શાકિબ પોતે હતો, જેણે સ્પષ્ટ કહ્યું હતું કે તેણે જે પણ કર્યું તે નિયમોની અંદર હતું અને તે જીતવા માટે કોઈપણ તક લેવા તૈયાર છે. આ પછી બધાની નજર શ્રીલંકાની પ્રેસ કોન્ફરન્સ પર હતી અને શ્રીલંકાની ટીમે પણ મેથ્યુઝને આ જવાબદારી માટે મોકલ્યો હતો. એકવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા પછી, મેથ્યુઝે શાકિબ અને બાંગ્લાદેશી ટીમ સામે શાબ્દિક હુમલો શરૂ કર્યો.

મેથ્યુઝે શાકિબ પર કર્યા પ્રહાર

બાંગ્લાદેશી કેપ્ટનને લપેટતા મેથ્યુઝે કહ્યું કે આ મેચ સુધી તેને હંમેશા શાકિબ માટે ઘણું સન્માન હતું પરંતુ અહીંથી તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું. તેણે આગળ કહ્યું કે શાકિબ અને તેની ટીમે જે કર્યું તે અત્યંત શરમજનક હતું અને જો કોઈ ટીમ વિકેટ લેવા માટે આ સ્તરે ઝૂકવા તૈયાર હોય તો ઘણું ખોટું છે. મેથ્યુઝે એમ પણ કહ્યું હતું કે જો તે મેનકેડિંગ (નોન-સ્ટ્રાઈક પર રન આઉટ) અથવા રમતમાં ખલેલ પહોંચાડવા માટે આઉટ થયો હોત તો તે સમજી શકાય તેવું હતું, પરંતુ તેણે એવું કંઈ કર્યું નથી.

બાંગ્લાદેશે અપીલ કરી હતી

આટલું જ નહીં, મેથ્યુઝે દાવો કર્યો કે તેની 2 મિનિટ પૂરી થઈ નથી અને જ્યારે હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો, ત્યારે હજુ 5 સેકન્ડ બાકી હતી. તેણે કહ્યું કે અમ્પાયરોએ પણ આ બધું જોયું પણ પછી કહ્યું કે બાંગ્લાદેશે અપીલ કરી છે. મેથ્યુસે કહ્યું કે મારી બે મિનિટ પણ પુરી નથી થઈ તો આવા નિર્ણયમાં સામાન્ય સમજ ક્યાં છે.

માન આપશો તો સન્માન મળશે

મેથ્યુઝે કહ્યું કે તેની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે ક્યારેય કોઈ ખેલાડી કે ટીમને આટલા નીચા સ્તરે પડતાં જોયા નથી. મેચ બાદ શ્રીલંકાના મોટાભાગના ખેલાડીઓએ બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. જ્યારે મેથ્યુઝને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીએ ખચકાટ વિના કહ્યું – “અમે ફક્ત તે જ લોકોનું સન્માન કરીશું જે અમને માન આપે છે.”

આ પણ વાંચો: છેલ્લા 13 વર્ષથી યજમાન ટીમ બની રહી છે વર્લ્ડ કપ ચેમ્પિયન, એટલે આ વખતે ભારતની જીત પાક્કી ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">