AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Eng Test 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ડ્રો, હવે એન્ડરસન તેંડુલકર ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે?

હાલમાં ભારતીય ટીમ 2025 માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી રહી છે અને પટૌડી ટ્રોફીનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી (એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2025) રાખવામાં આવ્યું છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતીય ટીમે સિરીઝ 2-2 થી ડ્રો કરી કાઢી છે. એવામાં સવાલ એ છે કે, આ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી કોણ રાખશે?

Ind Vs Eng Test 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ડ્રો, હવે એન્ડરસન તેંડુલકર ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે?
| Updated on: Aug 04, 2025 | 4:53 PM
Share

ભારતીય ટીમ 2025 માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી રહી છે અને ટીમે પાંચમી ટેસ્ટ જીતીને સિરીઝ ડ્રો કરી છે. રૂટ અને હેરી બ્રૂકની પાર્ટનરશિપે ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી હતી પરંતુ સિરાજની ઘાતક બોલિંગે ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવી. એવામાં ચાલો જાણીએ કે, આ સિરીઝ ડ્રો થતાં એન્ડરસન તેંડુલકર ટ્રોફી કયા દેશને મળશે.

ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે?

ભારતીય ટીમે ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમે મેચ પોતાના નામે કરી લીધી હતી પરંતુ સિરાજ અને કૃષ્ણાની ઘાતક બોલિંગથી મેચમાં ઉલટફેર આવ્યો.  ટીમ ઇન્ડિયાએ આ સ્કોર ડિફેન્ડ કરી કાઢ્યો અને સિરીઝ 2-2 થી ડ્રો કરી છે. હવે નિયમ એમ કહે છે કે, છેલ્લી વખત સિરીઝ જીતનાર ટીમ આ ટ્રોફી જાળવી રાખશે.

જણાવી દઈએ કે, ભારતીય ટીમે છેલ્લે 2021 માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ સિરીઝ 2-2 થી ડ્રો થઈ હતી. જ્યારે 2021 ની સિરીઝ ડ્રો થઈ હતી, ત્યારે ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે ગઈ હતી. આવું એટલા માટે કેમ કે, ઇંગ્લેન્ડે 2018 માં સિરીઝ 2-1 થી જીતી હતી. ટૂંકમાં નિયમો મુજબ, 2025 માં યોજાનારી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પણ ઇંગ્લેન્ડની ટીમને જશે.

ઓવલ મેદાન પર ફક્ત 3 ભારતીય કેપ્ટન ટેસ્ટ જીત્યા

ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત 3 ભારતીય કેપ્ટન ટેસ્ટ મેચ જીતી શક્યા છે. આવું કરનાર પ્રથમ કેપ્ટન અજિત વાડેકર હતા, જેમની કેપ્ટનશીપમાં ભારતે વર્ષ 1971માં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ ભારતને ઓવલ મેદાન પર ટેસ્ટ મેચ જીતવામાં 50 વર્ષ લાગ્યા. વર્ષ 2021માં, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ બ્રિટિશરો સામે 157 રનથી વિજય મેળવ્યો. હવે ઓવલ ટેસ્ટ જીતીને શુભમન ગિલ આવું કરનાર ફક્ત ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે.

ભારતે ઓવલ ટેસ્ટ જીતી

ઇંગ્લેન્ડ જીત તરફ આગળ વધી રહી હતી પરંતુ સિરાજ ઍન્ડ કંપનીએ કમબેક કર્યું અને ભારતીય ટીમને જીત અપાવી. સિરાજે મેચમાં 5 વિકેટ ઝડપી જ્યારે પ્રસિધ્ધ કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી. આ જીત સાથે જ સિરીઝ 2-2 થી ડ્રો થઈ છે.

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">