AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI ચીફ સિલેક્ટરની રેસમાં અજીત અગરકર સૌથી આગળ, વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પસંદ કરશે!

ફેબ્રુઆરીમાં ચેતન શર્માના રાજીનામા બાદથી મુખ્ય પસંદગીકારનું પદ ખાલી છે. પાંચ સભ્યોની પસંદગી સમિતિ માત્ર 4 પસંદગીકારો સાથે ટીમની પસંદગી કરી રહી છે. હવે આ રેસમાં પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

BCCI ચીફ સિલેક્ટરની રેસમાં અજીત અગરકર સૌથી આગળ, વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પસંદ કરશે!
Ajit Agarkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 11:41 PM
Share

વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હવે તમામ ટીમ તેની તૈયારીમાં લાગી જશે. ભારતીય ટીમ પણ તેનાથી અલગ નથી. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ પહેલા ઘણી મેચો પણ રમશે, ત્યારબાદ જ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. જોકે, BCCIની સામે ટીમની પસંદગી પહેલા મુખ્ય પસંદગીકારની નિમણૂક કરવાનો પડકાર છે. આ માટે શોધ ચાલુ છે અને આ રેસમાં ફરી એકવાર અજીત અગરકરનું નામ સામે આવ્યું છે.

અગરકર બે વર્ષ બાદ ફરી રેસમાં

છેલ્લા કેટલાક દિવસોથી આ અંગે અલગ-અલગ અટકળો પણ લગાવવામાં આવી રહી છે, જેમાં સ્ટાર ઓપનર વીરેન્દ્ર સેહવાગનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ હવે BCCIના પસંદગીકાર બનવા માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજીત અગરકરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કમિટીના આ નવા સભ્યને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે.

હવે સમાચાર એજન્સી PTIએ તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે મુંબઈના પૂર્વ ભારતીય ઝડપી બોલર અગરકરને આ ભૂમિકા મળી શકે છે. આ 45 વર્ષીય અનુભવી ઝડપી બોલરનું નામ બે વર્ષ પહેલા પણ આ પદ માટે ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ચેતન શર્માને આ જવાબદારી મળી હતી. આ વખતે તેની પસંદગી નિશ્ચિત જણાય છે. તે હાલમાં IPLમાં દિલ્હી કેપિટલ્સનો બોલિંગ કોચ પણ છે.

મુખ્ય પસંદગીકાર બનવાની રેસ

અજીત અગરકરની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે કારણ કે બોર્ડ કોઈ એવી વ્યક્તિની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે જે ટીમ મેનેજમેન્ટમાં સામેલ દિગ્ગજ વ્યક્તિઓ સાથે બરાબરી કરી શકે અને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અને આવનાર સમયના પરિવર્તનોમાં ફાળો આપી શકે.

આ પણ વાંચોઃ ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ

અગરકરની સફળ ક્રિકેટ કારકિર્દી

અજીત અગરકરે ભારત માટે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અગરકરે 26 ટેસ્ટમાં 58 વિકેટ અને 191 વનડેમાં 288 વિકેટ લીધી હતી. એટલું જ નહીં તેણે 4 T20 મેચ પણ ભારત તરફથી રમી હતી. તે 2007માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
g clip-path="url(#clip0_868_265)">