15 ઓગસ્ટે ધોનીની એક પોસ્ટ અને દેશ આખો શોકમાં થયો ગરકાવ, જુઓ VIDEO

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેના આશ્ચર્યજનક વલણ માટે પ્રખ્યાત છે. તેણે ODI અને T20ની કેપ્ટનશીપ છોડીને ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા અને તેણે આજથી ત્રણ વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2020ના રોજ આવું જ કંઈક કર્યું હતું.

15 ઓગસ્ટે ધોનીની એક પોસ્ટ અને દેશ આખો શોકમાં થયો ગરકાવ, જુઓ VIDEO
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 12:20 PM

ઓગસ્ટ 15, દેશનો સ્વતંત્રતા દિવસ (Independence Day), એ દિવસ જ્યારે આખો દેશ ઉજવણીમાં ડૂબી જાય છે. સમગ્ર દેશમાં ખુશીની લહેર હોય છે, એક અલગ પ્રકારનો માહોલ હોય છે. આવું દર વર્ષે થાય છે. વર્ષ 2020માં પણ આવી જ સ્થિતિ હતી. કોવિડના પ્રકોપને કારણે પણ દેશમાં આ દિવસનો ઉત્સાહ ઓછો થયો નથી. આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો હતો, પરંતુ સાંજે 7.29 વાગ્યે ઈન્સ્ટાગ્રામ (Instagram)પર એક પોસ્ટ આવી અને આખો દેશ આઘાતમાં સરી ગયો.

ધોનીએ એક પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા

સુખ દુ:ખમાં ફેરવાઈ ગયું. ઘણા લોકોની આંખોમાં આંસુ હતા. શું થયું તેની કોઈને ખાતરી નહોતી. આ પોસ્ટ ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીની હતી. આ પોસ્ટ સાથે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ આ પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ પર મૂકતાની સાથે દેશભરમાં જાણે હલચલ મચી ગઈ. તે સમયે ધોની તેની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે UAE જઈ રહ્યો હતો. આ પહેલા તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે તેણે IPL રમવાનું ચાલુ રાખ્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

અચાનક જાહેર કરી હતી નિવૃત્તિ

ધોનીએ તે કર્યું જેના માટે તે જાણીતો છે. એટલે કે, જે કામની કોઈને અપેક્ષા ન હતી. ધોનીએ જ્યારે ODI અને T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે પણ તેણે કોઈને જાણ ન થવા દીધી અને અચાનક વિરાટ કોહલીને કેપ્ટનશિપ સોંપી દીધી. એવું જ કંઈક તે ધોનીએ નિવૃત્તિ સમયે કર્યું હતું. જ્યારે કોઈને અપેક્ષા ન હતી ત્યારે તેણે ચૂપચાપ એક પોસ્ટ કરી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. ધોનીએ પોસ્ટમાં લખ્યું, “આ પ્રવાસમાં તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. મને 19:29થી નિવૃત્ત ગણો. ધોનીએ આ પોસ્ટ સાથે એક વીડિયો પણ મૂક્યો હતો જેમાં ટીમ ઈન્ડિયા સાથેની તેની સફરની તસવીરો હતી.

ટ્રોફી સાથે દિલ પણ જીત્યા

ધોની એવો ખેલાડી હતો જેણે દેશને જશ્ન કરવાની ઘણી તકો આપી. તેણે પોતાની કેપ્ટનશિપથી ઘણી મેચ અને ટ્રોફી જીતી અને પોતાના વર્તનથી લોકોના દિલ પણ જીતી લીધા. આજે પણ ધોની લોકોના દિલ પર રાજ કરે છે. ધોની અત્યાર સુધી એકમાત્ર એવો કેપ્ટન છે જેણે T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. તેની કપ્તાનીમાં ભારતે 2007માં T20 અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે 2013માં ધોનીની કપ્તાનીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારબાદથી અત્યારસુધી ભારત ICCની કોઈ ટ્રોફી જીતી શક્યું નથી.

ધોનીનો દરેક ખેલાડી સાથે સારો વ્યવહાર

ધોની જાણતો હતો કે જુનિયરો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને સિનિયરોનું સન્માન કેવી રીતે કરવું. જ્યારે સૌરવ ગાંગુલી તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો, ત્યારે તે ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ધોનીએ ગાંગુલીને તેની કેપ્ટનશિપ કરવાની વિનંતી કરી હતી. જ્યારે સચિન તેંડુલકર તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો ત્યારે ધોનીએ તેના માટે સેન્ડઓફ પ્લાન બનાવ્યો હતો.

IPLમાં રમવાનું ચાલુ રાખ્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ધોની માત્ર IPL રમે છે અને તેની નિવૃત્તિ બાદ ચેન્નાઈએ તેની કેપ્ટનશીપમાં બે વખત IPL જીતી છે. આ વર્ષે પણ ધોનીએ પોતાની કપ્તાનીમાં ચેન્નાઈને IPL જીતાડ્યું હતું. ધોનીની ફેન ફોલોઈંગ હજુ પણ ઓછી થઈ નથી. તે જ્યાં પણ જાય છે, ચાહકો તેના માટે દિવાના થઈ જાય છે અને તેના માટે જોર જોરથી બૂમો પાડે છે.

વર્લ્ડ ક્રિકેટનો બેસ્ટ ફિનિશર

વિશાખાપટ્ટનમમાં પાકિસ્તાન સામે 148 રનની ઈનિંગ રમ્યા બાદ ધોનીની કારકિર્દી ચમકી હતી. આ પછી તેણે જયપુરમાં શ્રીલંકા સામે 183 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ ધોની ક્રીકટ જગતમાં છવાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા બાદ ધોનીએ પોતાનો બેટિંગ ક્રમ બદલી નાખ્યો અને લોઅર ઓર્ડરમાં રમવા લાગ્યો, અહીં તોફાની બેટ્સમેન ધોની ફિનિશર તરીકે ચમક્યો અને આજે તેની ગણતરી મહાન ફિનિશરોમાં થાય છે.

આ પણ વાંચો : IND vs IRE: જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ માટે રવાના થઈ

ધોનીની શાનદાર કારકિર્દી

ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી અને 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા, જેમાં છ સદી અને 33 અડધી સદી સામેલ છે. ODIમાં, તેણે ભારત માટે 350 ODI રમી, જેમાં 50.57ની એવરેજથી 10,773 રન બનાવ્યા. ધોનીએ ODIમાં 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. ધોનીએ ભારત માટે 98 T20 મેચ રમી છે જેમાં તેણે 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">