AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : India vs Ireland 1st T20 ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત

ભારતની આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત થઈ છે. ભારત એ પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડ ને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 2 રન થી જીત મેળવી હતી.

Breaking News : India vs Ireland 1st T20 ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:16 PM
Share

ભારતની આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત થઈ છે. ભારત એ પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડ ને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 2 રન થી જીત મેળવી હતી.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની શરૂઆત વરસાદની દખલને કારણે પ્રભાવિત થઈ હતી અને તેણે પ્રથમ મેચની જ મજા બગાડી નાખી હતી. આમ છતાં ભારતે મજબૂત બોલિંગ અને પછી બેટિંગમાં ઝડપી શરૂઆતના આધારે DLS નિયમ હેઠળ પ્રથમ મેચ 2 રને જીતી લીધી હતી.

આ રીતે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 11 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહે પણ પોતાની વાપસીને યાદગાર બનાવી અને ટીમની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે જ બુમરાહે ટીમ ઈન્ડિયા માટે પોતાની કેપ્ટનશિપમાં પહેલી સફળતા પણ મેળવી હતી.

જસપ્રીત બુમરાહ અને પ્રખ્યાત કૃષ્ણાની ઈજામાંથી વાપસી થવાને કારણે ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની છે, પરંતુ પ્રથમ મેચ પર જ વરસાદ છવાઈ ગયો હતો, જેના કારણે બંનેની વાપસી બગડી શકે તેવી સંભાવના હતી. વરસાદે ચોક્કસપણે મેચમાં દખલ કરી હતી પરંતુ તે પહેલા બુમરાહ અને કૃષ્ણાએ તેમની બોલિંગ શક્તિ બતાવી હતી અને આયર્લેન્ડને માત્ર 139 રનમાં રોકી દીધું હતું.

ઈજાના કારણે સપ્ટેમ્બર 2022 થી એક્શનથી બહાર રહેલો બુમરાહ આ મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો. આ સિરીઝ માટે તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. તેની પહેલી જ મેચમાં બુમરાહ ટોસ જીતીને પોતાની તૈયારીની કસોટી કરવા માંગતો હતો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો. બુમરાહે પોતે પ્રથમ ઓવર કરાવવાનો નિર્ણય લીધો હતો. તેણે તેના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ બીજા જ બોલ પર, બુમરાહે એન્ડી બલબિર્નીને બોલ્ડ કરીને ધમાકેદાર પુનરાગમન કર્યું. આ જ ઓવરમાં બુમરાહે લોર્કન ટકરની વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો : IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 મેચ માટે નથી મળી ટિકિટ ? ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે મફતમાં જુઓ મેચ

બીજી T20 મેચ રવિવારે રમાશે

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રવિવાર 20 ઓગસ્ટના રોજ રમાશે. ભારત બીજી મેચમાં રવિવારે જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારત છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે 5 મેચની T20 શ્રેણીમાં 3-2 થી હાર્યુ હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">