Breaking News : India vs Ireland 1st T20 ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત

ભારતની આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત થઈ છે. ભારત એ પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડ ને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 2 રન થી જીત મેળવી હતી.

Breaking News : India vs Ireland 1st T20 ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:16 PM

ભારતની આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત થઈ છે. ભારત એ પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડ ને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 2 રન થી જીત મેળવી હતી.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની શરૂઆત વરસાદની દખલને કારણે પ્રભાવિત થઈ હતી અને તેણે પ્રથમ મેચની જ મજા બગાડી નાખી હતી. આમ છતાં ભારતે મજબૂત બોલિંગ અને પછી બેટિંગમાં ઝડપી શરૂઆતના આધારે DLS નિયમ હેઠળ પ્રથમ મેચ 2 રને જીતી લીધી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ રીતે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 11 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહે પણ પોતાની વાપસીને યાદગાર બનાવી અને ટીમની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે જ બુમરાહે ટીમ ઈન્ડિયા માટે પોતાની કેપ્ટનશિપમાં પહેલી સફળતા પણ મેળવી હતી.

જસપ્રીત બુમરાહ અને પ્રખ્યાત કૃષ્ણાની ઈજામાંથી વાપસી થવાને કારણે ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની છે, પરંતુ પ્રથમ મેચ પર જ વરસાદ છવાઈ ગયો હતો, જેના કારણે બંનેની વાપસી બગડી શકે તેવી સંભાવના હતી. વરસાદે ચોક્કસપણે મેચમાં દખલ કરી હતી પરંતુ તે પહેલા બુમરાહ અને કૃષ્ણાએ તેમની બોલિંગ શક્તિ બતાવી હતી અને આયર્લેન્ડને માત્ર 139 રનમાં રોકી દીધું હતું.

ઈજાના કારણે સપ્ટેમ્બર 2022 થી એક્શનથી બહાર રહેલો બુમરાહ આ મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો. આ સિરીઝ માટે તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. તેની પહેલી જ મેચમાં બુમરાહ ટોસ જીતીને પોતાની તૈયારીની કસોટી કરવા માંગતો હતો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો. બુમરાહે પોતે પ્રથમ ઓવર કરાવવાનો નિર્ણય લીધો હતો. તેણે તેના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ બીજા જ બોલ પર, બુમરાહે એન્ડી બલબિર્નીને બોલ્ડ કરીને ધમાકેદાર પુનરાગમન કર્યું. આ જ ઓવરમાં બુમરાહે લોર્કન ટકરની વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો : IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 મેચ માટે નથી મળી ટિકિટ ? ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે મફતમાં જુઓ મેચ

બીજી T20 મેચ રવિવારે રમાશે

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રવિવાર 20 ઓગસ્ટના રોજ રમાશે. ભારત બીજી મેચમાં રવિવારે જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારત છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે 5 મેચની T20 શ્રેણીમાં 3-2 થી હાર્યુ હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">