AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ICCએ કેપ્ટન હરમનપ્રીત કૌરને કરી સસ્પેન્ડ

બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને અંતિમ મેચમાં અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ અને ગુસ્સામાં કરેલ હરકત બદલ ICC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ICCએ કેપ્ટન હરમનપ્રીત કૌરને કરી સસ્પેન્ડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:40 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ને ICC દ્વારા આગામી બે આંતરરાષ્ટ્રીય મેચો માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ICCએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. ભારતીય મહિલા ટીમ હાલમાં જ બાંગ્લાદેશના પ્રવાસે હતી, જ્યાં છેલ્લી અને ત્રીજી વનડેમાં હરમનપ્રીતે અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા સ્ટમ્પ પર ફટકો માર્યો હતો. આ પછી જ્યારે ટ્રોફી સાથે ફોટો પડાવવામાં આવ્યો ત્યારે તેણે ટોણો માર્યો અને કહ્યું કે અમ્પાયરોને પણ બોલાવો. ICCએ કહ્યું છે કે હરમનપ્રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

હરમનપ્રીત ICC આચાર સંહિતા કલમ 2.8 માટે દોષિત

ICCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હરમનપ્રીત પર લેવલ-2 નિયમનો ભંગ કરવા બદલ 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય તેના તરફથી ત્રણ ડીમેરિટ પોઈન્ટ પણ આવ્યા છે. હરમનપ્રીતને ICC આચાર સંહિતાની કલમ 2.8 માટે દોષિત ઠેરવવામાં આવી છે જેમાં અમ્પાયરના નિર્ણય સાથે અસંમતિ દર્શાવવાનો સમાવેશ થાય છે.

મેચ ફીના કુલ 75 ટકા દંડ ફટકારવામાં આવ્યો

મેચ બાદ જ્યારે બંને ટીમો ટ્રોફી સાથે ફોટો પડાવવા માટે આવી ત્યારે હરમનપ્રીતે ટોણો માર્યો કે તેણે અમ્પાયરોને બોલાવવાનું કહ્યું હતું. આના કારણે તેઓને પણ નુકસાન થયું છે. આ માટે હરમનપ્રીતને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ લેવલ-1ના ગુનાને કારણે લગાવવામાં આવ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય મેચમાં બનેલી ઘટનાની જાહેરમાં ટીકા કરવાનો સમાવેશ થાય છે.

હરમનપ્રીતે ભૂલ સ્વીકારી લીધી

ICCના નિવેદન અનુસાર, હરમનપ્રીતે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને સાથે જ તેણે મળેલી સજા પણ સ્વીકારી લીધી છે. તેથી, આ મામલે કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર ન હતી અને તેમના પર તાત્કાલિક અસરથી સજા લાદવામાં આવી હતી.

આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલે કર્યો કમાલ, પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં જોરદાર બેટિંગ કરી બનાવ્યા સૌથી વધુ રન

ટીમ ઈન્ડિયાએ અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. બાંગ્લાદેશને મજબૂત ટીમ માનવામાં આવતી નથી, આવી સ્થિતિમાં શ્રેણીની બરાબરીથી ભારતીય ટીમની રમત પર સવાલો ઉભા થયા છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. ત્રીજી મેચ બાદ સ્મૃતિ મંધાનાએ પણ ન્યુટ્રલ અમ્પાયરિંગની વાત કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">