AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Team India: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ

Team India squad for ICC World Test Championship 2023: BCCIએ મંગળવારે ટ્વિટર દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની વાપસી થઈ છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે.

WTC Team India: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ
| Updated on: Apr 25, 2023 | 12:02 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે, પરંતુ વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે 7 જૂન, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ લંડનના ઓવલ મેદાન પર રમાશે.આ મોટી મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

આ પણ વાંચો : Breaking news : શુક્રવારે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી કરશે SC, દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો

4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ

ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ,જયદેવ ઉનકાટ આ ચારેય ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ધમાલ મચાવશે.

WTC 2023 ફાઈનલ માટેની ભારતીય ટીમ નીચે મુજબ છે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનકાટ .ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે જ્યારે કેએસ ભરત વિકેટકીપિંગની જવાબદારી સંભાળતા જોવા મળશે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને યુવા શુભમન ગિલ પર ઓપનિંગની જવાબદારી સોંપી છે. મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણેની વાપસી થઈ છે જ્યારે સૂર્યકુમાર યાદવને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર ઈજાના કારણે WTC ફાઈનલમાંથી પહેલા જ બહાર થઈ ગયો હતો. રહાણે વર્તમાન આઈપીએલમાં સારા લયમાં જોવા મળી રહ્યો છે જ્યારે સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં ચાલી રહ્યો નથી.

ICC ખિતાબના દુકાળને ખતમ કરવા માંગશે

ભારતીય ટીમે તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ભારતે આ સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.  ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગત વખતે તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન બનીને ICC ખિતાબના દુકાળને ખતમ કરવા માંગશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">