AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction માં ભાવનગરનો ચેતન સાકરીયા 4.20 કરોડમાં વેચાયો, પરિવારજનોમાં ખુશાલીનો માહોલ

ભાવનગરના વરતેજ ગામનો ચેતન સાકરીયા અને હાલ તેણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ ભારત-શ્રીલંકા સામે વનડે ટીમમાં પસંદ થઈ રમી ચુક્યો છે,

IPL 2022 Auction માં ભાવનગરનો ચેતન સાકરીયા 4.20 કરોડમાં વેચાયો, પરિવારજનોમાં ખુશાલીનો માહોલ
Bhavnagar's Chetan Sakaria sold for Rs 4.20 crore in IPL 2022 Auction
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:41 PM
Share

IPL-2022 માટે હાલ ખેલાડીઓનું ઓકશન (Auction)ચાલી રહ્યું છે. જેમાં અનેક ખેલાડીઓને તેની બેઝ પ્રાઈઝ કરતા બે થી ત્રણ ગણી વધુ રકમે ફ્રેન્ચાઈઝીઓએ ખરીદ્યા હતા. (Bhavnagar) ભાવનગરના ચેતન સાકરિયાને (Chetan Sakaria)પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રણ ગણી વધુ રકમ આપી દિલ્હી કેપિટલે ખરીદ્યો હતો. ચેતન સાકરિયાને 4.20 કરોડમાં ખરીદાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આઇપીએલ હરાજી ઓકશન 2022 ચાલી રહી છે જેમાં આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા બોલી લગાવવા બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી,

છેલ્લી બોલી આ વર્ષે દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ચેતન સાકરિયાને ખરીદ્યો છે. ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ 50 લાખ રૂપિયા હતી. ચેતન સાકરીયાએ આઇપીએલમાં સારું પ્રદર્શન કરી લોકોના દિલ જીતી ચુક્યો છે, સારા પ્રદર્શનથી તે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી, ત્યારબાદ ગત વર્ષે તેની આઇપીએલ માં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને સતત બીજા વર્ષે આઇપીએલ ઓકશનમાં ભાવનગર ના ચેતનની બોલબાલા વધતા ભાવનગરમાં મેપાનગરમાં રહેતા તેના મામા ના ઘરે આનંદની લહેર છવાઇ હતી.

ચેતન સાકરીયાના પરિજનોમાં ખુશાલીનો માહોલ

ભાવનગરના વરતેજ ગામનો ચેતન સાકરીયા અને હાલ તેણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ ભારત-શ્રીલંકા સામે વનડે ટીમમાં પસંદ થઈ રમી ચુક્યો છે, આમ ભાવનગર માંથી ટીમ ઇન્ડિયામાં પસંદ થનારો બીજો ખેલાડી બન્યો છે, આ પેહલા ભાવનગરના અશોક પટેલની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. ચેતનના પરિવારે જણાવ્યું હતું કે ચેતન સાકરિયાને આજે 2022માં રમાનાર આઈપીએલની ઓકશનમાં દિલ્હીની ટીમે 4.20 કરોડમાં ખરીદતા તેના પરિવારજનો અને કોળી સમાજમાં આનંદનો માહોલ છવાયો છે.

નોંધનીય છે કે, ચેતનના પિતાનું ગત વર્ષે કોરોનામાં મોત નીપજ્યું હતું, અને તેમના નાના ભાઈએ આપઘાત કરી લીધો હતો, આમ ચેતનના પરિવારમાં આભ તુટી પડ્યું હતું તેમ છતાં ચેતને હતાશ થયા બન્યા વગર ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી, આજે તેમને ફરી એક વખત આઈપીએલમાં તક મળતા ભાવનગરનું પણ ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો : Kam ni Vaat : શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ? તમને આનાથી કેવી રીતે થશે ફાયદો ? જાણો યોજના વિશે

આ પણ વાંચો : 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર પણ શરદીથી હતા પરેશાન, વૈજ્ઞાનિકોએ આપ્યું ચોંકાવનારું કારણ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">