અનુષ્કાના મામલે વિવાદને લઈને આખરે સુનિલ ગાવસ્કારે કરી આ સ્પષ્ટતા કરી, વાંચો આ અહેવાલ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને કોમેન્ટ્રી દરમ્યાન એક ટીપ્પણી કરવાને લઇને વિવાદોમાં આવેલા સુનીલ ગાવસ્કરે પોતાનો બચાવ રજુ કર્યો. ગાવસ્કરે કહ્યુ હતુ કે, વિરાટના પ્રદર્શનને લઈને તેમણે અનુષ્કાને દોષી નથી ઠહેરાવી, ગાવાસ્કરે પોતાની સામે થઈ રહેલા વિવાદીત આરોપોને પણ ખોટા હોવાનું ગણાવ્યા હતા અને કહ્યુ હતું કે અનુષ્કાને લઈને કોઈ પણ પ્રકારે લીંગભેદી નિવેદન […]
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને કોમેન્ટ્રી દરમ્યાન એક ટીપ્પણી કરવાને લઇને વિવાદોમાં આવેલા સુનીલ ગાવસ્કરે પોતાનો બચાવ રજુ કર્યો. ગાવસ્કરે કહ્યુ હતુ કે, વિરાટના પ્રદર્શનને લઈને તેમણે અનુષ્કાને દોષી નથી ઠહેરાવી, ગાવાસ્કરે પોતાની સામે થઈ રહેલા વિવાદીત આરોપોને પણ ખોટા હોવાનું ગણાવ્યા હતા અને કહ્યુ હતું કે અનુષ્કાને લઈને કોઈ પણ પ્રકારે લીંગભેદી નિવેદન કર્યુ નથી. કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુરુવારે 24 સપ્ટેમ્બરે રમાયેલી ટી-20 લીગની છઠ્ઠી મેચ દરમ્યાન પુર્વ કેપ્ટન અને લીગના કોમેન્ટેટર સુનીલ ગાવસ્કર હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આ દરમ્યાન બેંગ્લોરની બીજી વિકેટ પડતા કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર પહોંચ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોહલીની બેટીંગ દરમ્યાન ગાવાસ્કરે કોમેન્ટ્રી વખતે કહ્યુ હતુ કે, તે ( વિરાટ) જાણે છે કે પ્રેકટીસથી જ બહેતર બની શકાય છે. જ્યારે લોકડાઉન હતુ, ત્યારે અનુષ્કાની બોલીંગની પ્રેકટીસ કરી હતી તેનો જે વીડિયો આપડે જોયો હતો. ગાવાસ્કરના આ નિવેદનને લઈને ખોટી રીતે ઉપયોગ કરીને ટ્વીટર પર ખુબ જ આલોચના થઈ રહી હતી તો ઘણાં ચાહકોએ તો બીસીસીઆઈના કોમેન્ટ્રી પેનલમાંથી નામ દુર કરવા સુધ્ધા સુધીની માંગ કરી મુકી હતી. આ દરમ્યાન ખુદ અનુષ્કા શર્માએ પણ આ નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. જો કે આ બધા વચ્ચે ગાવાસ્કરે જાતે જ આવીને સ્પષ્ટતા કરી હતી. ગાવાસ્કરે એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યું હતુ કે પોતાની પર લગેલા આરોપો ખોટા છે. ગાવસ્કરે વાત કરતા કહ્યુ કે, તે અને તેમના સાથી કોમેન્ટેટર આકાશ ચોપડા માત્ર એ બાબતની જ વાત કરતા હતા કે લોકડાઉન દરમ્યાન કોઈ પણ ખેલાડીએ પ્રેકટીસ કરી શક્યા નથી. આ પ્રકારની વાતચીત દરમ્યાનન વિરાટ અને અનુષ્કા વચ્ચે ક્રિકેટ રમવાનો વીડિયોને યાદ કર્યો હતો, એ સિવાય કોઇ પણ પ્રકારની વાત કરી નથી.
હમેશા ક્રિકેટરની પત્નિઓનું સમર્થન કર્યુ
પુર્વ ક્રિકેટર સુનિલ ગવાસ્કરે વાત કરતા પોતાના પર લાગેલા આક્ષેપો ખોટા છે અને તેઓએ કોઈ પણ પ્રકારે સેક્સીએટ કે અભદ્ર ટીપ્પણી કરી નથી. મેં અત્યાર સુધી એ વાતનું સમર્થન કર્યુ છે કે ક્રિકેટરોના વિદેશ પ્રવાસ વખતે તેમની પત્નીઓને પણ સાથે લઇ જવા સહમતિ રાખવી જોઈએ. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે તેઓ ક્યારેય સેક્સીસ્ટ રહ્યા નથી અને જો કોઈ વ્યક્તિ તેમના નિવેદનને ખોટી રીતે સમજીને રજુ કરે છે, તો તેમાં તેઓ કશુ કરી શકતા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો