OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

ઓયો(OYO)ના સ્થાપક રિતેશ અગ્રવાલ(Ritesh Agarwal) IPOમાં કોઈ હિસ્સો વેચશે નહીં. અગ્રવાલ કંપનીમાં લગભગ 34 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ, સેક્વોઇઆ કેપિટલ, સ્ટાર વર્ચુ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીનઓક્સ કેપિટલ અને માઇક્રોસોફ્ટ જેવા રોકાણકારો પણ તેમનો હિસ્સો વેચશે નહીં.

OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
Upcoming IPO (2022)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:55 AM

હોસ્પિટાલિટી સેક્ટરની અગ્રણી કંપની OYO એ પબ્લિક ઓફરિંગ (OYO IPO) મારફતે લગભગ 8,430 કરોડ રૂપિયા (1.2 અબજ ડોલર) એકત્ર કરવા માટે મૂડી બજારોના નિયમનકાર સેબીને જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. OYO દેવું ચૂકવવા અને કંપનીના વિસ્તરણ માટે યો આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ કરશે.

ઓયો(OYO)ના સ્થાપક રિતેશ અગ્રવાલ(Ritesh Agarwal) IPOમાં કોઈ હિસ્સો વેચશે નહીં. અગ્રવાલ કંપનીમાં લગભગ 34 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ, સેક્વોઇઆ કેપિટલ, સ્ટાર વર્ચુ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીનઓક્સ કેપિટલ અને માઇક્રોસોફ્ટ જેવા રોકાણકારો પણ તેમનો હિસ્સો વેચશે નહીં.

IPO ની કિંમત શું હશે? ઓફર ફોર સેલમાં સોફ્ટબેંક, એ-વન હોલ્ડિંગ્સ, ચાઇના લોજિંગ અને ગ્લોબલ IVY વેન્ચર્સ દ્વારા શેર વેચવામાં આવશે. કંપનીની પબ્લિક ઓફર 2022 ની શરૂઆતમાં આવી શકે છે. આ ઈશ્યુમાં 7,000 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે. આ સિવાય 1,430 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS) હશે. પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ થશે ત્યારે કંપની અને તેના હિસ્સેદારો દ્વારા કિંમત નક્કી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ સાથે OYO ઓનલાઈન કંપનીઓમાં જોડાશે જેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા છે. તેમાં Paytm, MobiKwik અને Nayakaનો સમાવેશ થાય છે. ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ કંપની Zomatoની પબ્લિક ઓફર (Zomato IPO) જુલાઈ 2021 માં આવી ગયો છે.

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે? સેબીને સબમિટ કરેલા દસ્તાવેજો અનુસાર આઈપીઓમાંથી ઉભા થયેલા નાણાંનો ઉપયોગ OYOની પેટાકંપનીઓના દેવાની ચૂકવણી માટે કરવામાં આવશે. આ કંપનીઓ પર 2,441 કરોડનું દેવું છે. આ સિવાય ઓર્ગેનિક અને ઇન-ઓર્ગેનિક ગ્રોથ માટે કંપની રૂ 2,900 કરોડનો ઉપયોગ કરશે. બાકીના નાણાંનો ઉપયોગ કોર્પોરેટ જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે.

પબ્લિક કંપની બનાવવાની મંજૂરી સપ્ટેમ્બર 2021 માં OYO ની પેરેન્ટ કંપની Oravel Stays ના શેરધારકોએ કંપનીને ખાનગી લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે. આ અગાઉ ઓરાવેલ સ્ટેજના બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી 901 કરોડથી વધારીને 1.17 કરોડ કરવાની મંજૂરી આપી હતી.

માઇક્રોસોફ્ટથી મળ્યું રોકાણ OYO ને તાજેતરમાં વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક માઈક્રોસોફ્ટ તરફથી રૂ 37 કરોડનું વ્યૂહાત્મક રોકાણ મળ્યું છે. ખાનગી રોકાણના આધારે ઇક્વિટી શેર અને કન્વર્ટિબલ કમ્યુલેટીવ પ્રેફરન્સ શેર ઇશ્યૂ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Multibagger Stock : 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે મળી રહ્યા છે 80 લાખ, જાણો વિગતવાર

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">