BABA RAMDEV નિવેદને RUCHI SOYA ની મુશ્કેલીઓ વધારી, SEBI ને આપવો પડશે જવાબ , જાણો શું છે મામલો

એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રુચી સોયા સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ નિવેદનથી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી નારાજ છે.

BABA RAMDEV  નિવેદને RUCHI SOYA ની મુશ્કેલીઓ વધારી, SEBI ને આપવો પડશે જવાબ , જાણો શું છે મામલો
BABA RAMDEV
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 8:00 AM

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurveda)ના સ્થાપક બાબા રામદેવ(BABA RAMDEV) સામે નારાજગી વ્યક્ત કરી છે. SEBIએ પતંજલિની પેટાકંપની રૂચી સોયા(RUCHI SOYA)ને પૂછ્યું છે કે બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કેમ કર્યું છે? એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રુચી સોયા સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ નિવેદનથી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી નારાજ છે. આ પછી સેબીએ રૂચી સોયાને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.

વીડિયો ક્લિપના આધારે સ્પષ્ટતા માગી SEBI એ મોકલેલા પત્રમાં રૂચી સોયા પાસેથી વેપારના નિયમોના કથિત ઉલ્લંઘન, છેતરપિંડી અટકાવવા, ખોટી વેપાર પદ્ધતિઓ અને રોકાણ સલાહકાર નિયમો અંગે સ્પષ્ટતા માંગી છે. સાથોસાથ સેબીએ બેન્કરો અને રૂચી સોયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (Ruchi Soya FPO)સંભાળતી ટીમને બાબા રામદેવના નિવેદનો પર સ્પષ્ટતા કરવા કહ્યું છે. બેન્કર્સ અને કમ્પ્લાયન્સ ટીમે આ અંગે જવાબ મોકલ્યો છે. રામદેવની વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ સેબીએ આ પગલું ભર્યું છે. આ વીડિયોમાં રામદેવ લોકોને યોગ સત્ર દરમિયાન રૂચી સોયા શેરમાં રોકાણ કરવા માટે કહી રહ્યા છે.

કેમ થયો વિવાદ? પતંજલિ આયુર્વેદે બે વર્ષ પહેલા ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાં રૂચી સોયા ખરીદી હતી. રુચિ સોયા અથવા પતંજલિ આયુર્વેદમાં રામદેવનો કોઈ અંગત હિસ્સો નથી પરંતુ તે આ બંને કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રૂચી સોયાના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ અર્થમાં તે કાનૂનીરીતે ઇન્સાઇડર બની જાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

RUCHI SOYA નો FPO લાવી રહ્યા છે બાબા રામદેવ FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે.રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર FPO ની કિંમત 4,300 કરોડ રૂપિયા રહશે.રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે કરશે. આ FPO કંપનીને SEBIના લઘુતમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.

2019 માં રૂચી સોયા ખરીદી હતી 2019 માં રૂચિ સોયાને નાદારી પ્રક્રિયા હેઠળ રૂ 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. રૂચી સોયા મુખ્યત્વે તેલીબિયાંની પ્રક્રિયા, ખાદ્યતેલોને શુદ્ધ કરવા અને સોયા ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. મહાકોષ સનરિચ, રૂચી ગોલ્ડ અને ન્યુટ્રેલા કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે પણ ન મળી રાહત, જાણો શું છે એક લીટર પેટ્રોલ – ડીઝલની લેટેસ્ટ કિંમત

આ પણ વાંચો : તમને સ્પર્શતા બદલાઈ રહયા છે આ 5 નિયમ, ફેરફાર ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">