AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને સસ્તી કિંમતે મકાન,દુકાન અને પ્લોટ ખરીદવા મદદરૂપ સાબિત થશે

બેંક મોર્ગેજ કરેલી મિલકતોની હરાજી કરી રહી છે. SBI 25 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારની મિલકતો માટે ઓનલાઇન હરાજી કરી રહી છે. તમે પણ તેમાં ભાગ લઈને આ ઓફરનો લાભ લઈ શકો છો.

શું તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને સસ્તી કિંમતે મકાન,દુકાન અને પ્લોટ ખરીદવા મદદરૂપ સાબિત થશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:18 AM
Share

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જો તમે પણ ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સુવર્ણ તક છે. SBI મોંઘી મોંઘી પ્રોપર્ટી ખરીદવાની તક આપી રહી છે. હકીકતમાં બેંક મોર્ગેજ કરેલી મિલકતોની હરાજી કરી રહી છે. SBI 25 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારની મિલકતો માટે ઓનલાઇન હરાજી કરી રહી છે. તમે પણ તેમાં ભાગ લઈને આ ઓફરનો લાભ લઈ શકો છો.

બેંકે કહ્યું છે કે અમે તમામ વિગતો પણ શામેલ કરીએ છીએ અને જણાવીએ છીએ કે તે ફ્રીહોલ્ડ છે કે લીઝહોલ્ડ છે. હરાજી માટે જાહેર કરવામાં આવેલી જાહેર સૂચનામાં અન્ય વિગતો સાથે તેનું માપ અને સ્થાન સહિતની વિગત પણ જણાવવામાં આવ્યું છે. એસબીઆઈના જણાવ્યા અનુસાર કોર્ટની પરવાનગી બાદ બેંક પાસે ગીરોવાળી મિલકતોની હરાજી થઈ રહી છે. કોર્ટના આદેશને જોડતી વખતે અમે પારદર્શક છીએ. અમે હરાજીના સહભાગીઓને તમામ પ્રકારની માહિતી રજૂ કરીએ છીએ.

કેવી મિલકતની હરાજી થાય છે? બેંક લોકોને લોન આપવા માટે બેંકની ગેરંટી તરીકે તેમની પાસેથી રહેણાંક મિલકત અથવા વ્યાપારી મિલકત વગેરે ગીરો લે છે. જો લોન લેનાર લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય છે તો બેંક રિકવરી માટે તેમની ગીરો અસ્કયામતોની હરાજી કરે છે. બેંકની સંબંધિત શાખાઓ અખબારો અને અન્ય માધ્યમો દ્વારા જાહેરાતો પ્રકાશિત કરે છે. આ જાહેરાત મિલકતોની હરાજીને લગતી માહિતી પૂરી પાડે છે.

ઇ-હરાજીમાં કેવી રીતે ભાગ લઈ શકાય ? જો તમે SBI દ્વારા હાથ ધરાયેલી ઈ-હરાજીમાં ભાગ લેવા ઈચ્છો છો, તો તમારે નોટિસમાં આપેલ સંબંધિત મિલકત માટે EMD સબમિટ કરવું પડશે. ‘KYC દસ્તાવેજો’ સંબંધિત બેંક શાખામાં દર્શાવવાના રહેશે. હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિ પાસે ડિજિટલ સહી હોવી આવશ્યક છે. જો ન હોય, તો ઇ-હરાજી કરનાર અથવા અન્ય કોઇ અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકાય છે. સંબંધિત બેંક શાખામાં ‘KYC દસ્તાવેજો’ બતાવવા આવશ્યક છે. હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિ પાસે ડિજિટલ સહી હોવી આવશ્યક છે. તમે ઇ-હરાજી કરનાર અથવા અન્ય કોઇ અધિકૃત એજન્સીનો સંપર્ક કરીને આ કરી શકો છો.

આ પણ વાંચો : શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

આ પણ વાંચો : Stock Market માં અકલ્પનિય તેજી યથાવત રહેશે કે આવશે ચોંકાવનારો ઘટાડો? જાણો શું છે નિષ્ણાંતનો અભિપ્રાય અને રોકાણકારો માટે સલાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">