6 June કર્ક રાશિફળ : આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા નાણા પાછા મળવાની સંભાવના, દિવસ મંગલમય રહેશે

|

Jun 06, 2024 | 6:04 AM

આ રાશિના જાતકોના અટવાયેલા નાણા પાછા મળવાની સંભાવના, વિદેશ પ્રવાસની સંભાવના. વેપારમાં આવક કરવા ખર્ચ વધવાની શક્યતા. સ્વાસ્થ્યની કાળજી રાખવી,

6 June કર્ક રાશિફળ : આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા નાણા પાછા મળવાની સંભાવના, દિવસ મંગલમય રહેશે

Follow us on

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં

કર્ક રાશિ

આજે કાર્યક્ષેત્રમાં બિનજરૂરી દોડધામ થઈ શકે છે. કોઈ કિંમતી વસ્તુ કે સામાનની સાચવીને રાખો. વિશ્વાસપાત્ર વ્યક્તિ વેપારમાં છેતરપિંડી કરી શકે છે. તમારે કોઈ પ્રિય વ્યક્તિથી દૂર જવું પડી શકે છે. અનિચ્છનીય યાત્રા કરવી પડશે. રાજકીય ક્ષેત્રે વ્યસ્તતા વધુ રહેશે. વાહન મુસાફરીમાં થોડો તણાવ પેદા કરી શકે છે. નોકરી મેળવવાના તમારા પ્રયત્નોમાં નિષ્ફળતા તમને દુઃખી કરાવશે. વિદેશ પ્રવાસ કે લાંબા અંતરની યાત્રા પર જવાની શક્યતાઓ બનશે.

આર્થિકઃ-

ધંધામાં આવક કરતાં ખર્ચ વધુ રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. અન્યથા નુકશાન થઈ શકે છે. વધુ નફો કમાવવાની પાછળ ધનહાનિ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ભાવનાત્મકઃ-

પ્રેમમાં છેતરપિંડી થવાથી તમારા મનને આંચકો લાગશે. પરિવારમાં બિનજરૂરી મતભેદ થવાની સંભાવના છે. લડાઈમાં ઝઘડો થઈ શકે છે. તમારે માતા-પિતાથી દૂર જવું પડી શકે છે. ભગવાનમાં શ્રદ્ધા વધશે.

સ્વાસ્થ્યઃ-

લોહી સંબંધિત સમસ્યા થઈ શકે છે. પેટ સંબંધિત રોગો મનને પરેશાન કરશે. બહારનો ખોરાક ખાવાનું ટાળો. માનસિક તણાવને કારણે તમે અનિદ્રાનો ભોગ બની શકો છો. આંખની બળતરા વધી શકે છે.

ઉપાયઃ-

ચંદ્રને નમસ્કાર કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article