મીન રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ, જાણો કોને થશે લાભ અને કોણે રહેવું પડશે સાવધાન ?

જો તમે જોબ ટ્રાન્સફર માટે પ્રયાસ કરી રહ્યા હોવ અને તમારા પરિવારની નજીક જવા માંગતા હોવ, તો આ સમય શુભ ફળ આપી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ, રોમાંસ અને સારા સંવાદનો આનંદ માણશો.

મીન રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ, જાણો કોને થશે લાભ અને કોણે રહેવું પડશે સાવધાન ?
Sun and Mercury in meen rashi (symbolic image )
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 12, 2022 | 6:38 AM

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

સૂર્ય (sun) 15 માર્ચ, 2022ના રોજ મીન રાશિમાં (meen rashi) જઈ રહ્યો છે. જ્યારે બુધ (Mercury) 24 માર્ચ, 2022ના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. જેને લીધે મીન રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. આ સંયોગ 24 માર્ચ, 2022ના રોજ સવારે 10:44 વાગ્યે બની રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે વિવિધ રાશિઓ પર આ સંયોગની શું પડશે અસર ?

મેષ

મેષ રાશિના જાતકો માટે આ સંયોગ બારમા ભાવમાં થઈ રહ્યો છે. તેથી તેઓએ તેમના સ્વાસ્થ્ય તેમજ તેમના બાળકોના સ્વાસ્થ્ય વિશે થોડું સજાગ રહેવાની જરૂર છે. અજ્ઞાનતા ભારે તબીબી ખર્ચ તરફ દોરી શકે છે ! એક વિદ્યાર્થી તરીકે, જો તમે વધુ અભ્યાસ માટે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તે માટે પ્રયાસ કરવાનો આ યોગ્ય સમય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ જોડાણ નાણાંકીય દૃષ્ટિએ ફળદાયી રહેશે. જો તમારી કોઈપણ ચુકવણી અટકી ગઈ હોય તો તમને તે આ સમય દરમિયાન પ્રાપ્ત થશે. જો તમે જોબ ટ્રાન્સફર માટે પ્રયાસ કરી રહ્યા હોવ અને તમારા પરિવારની નજીક જવા માંગતા હોવ, તો તે ફળ આપી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ, રોમાંસ અને સારા સંવાદનો આનંદ માણશો.

મિથુન

દસમા ભાવમાં સૂર્ય અને બુધનો આ સંયોગ વ્યાવસાયિક જીવનમાં, ખાસ કરીને સરકારી ક્ષેત્ર અને ઉપચાર ક્ષેત્રે અદભુત પરિણામો ધરાવતી વ્યક્તિઓની તરફેણ કરી શકે છે. તમારા નેતૃત્વ અને સંચાલન ગુણવત્તાની પ્રશંસા કરવામાં આવશે.

કર્ક

કર્ક રાશિના લોકો માટે આ ખૂબ જ સારો સમય છે, કારણ કે ભાગ્ય તમારી પડખે રહેશે. જે વિદ્યાર્થીઓ ભારતમાં હોય કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માગે છે તેઓને તે સિદ્ધ કરવાની તક મળશે. નવમા ગૃહમાં થઈ રહેલું આ જોડાણ શિક્ષકો, સલાહકારો, માર્ગદર્શકો અને ધર્મ ગુરુઓ માટે ખૂબ જ સારું રહેશે. કારણ કે તેઓ અન્ય લોકોને પ્રોત્સાહિત કરવામાં અને સલાહ આપવામાં ખૂબ સારા સાબિત થશે.

સિંહ

સિંહ રાશિના જાતકો માટે, આ સંયોગ થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય તમારા લગ્નનો સ્વામી છે અને બુધ તમારી આર્થિક બાબતો માટે કારક ગ્રહ 8માં ભાવમાં જઈ રહ્યો છે. તેથી, આ દર્શાવે છે કે આ સમય દરમિયાન તમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થશે. જો તમે ગૂઢ વિજ્ઞાન શીખવા માંગતા હો, તો તેના માટે આ સારો સમય છે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે સાતમા ભાવમાં આ જોડાણ વ્યવસાયિક ભાગીદારી માટે ફળદાયી સાબિત થશે અને તેઓ વિદેશી ભૂમિથી વ્યાવસાયિક લાભ પ્રાપ્ત કરશે. તમારા જીવનસાથી સાથે, તમે અહંકારના યુદ્ધમાંથી પસાર થઈ શકો છો. પરંતુ તે તમારા સંબંધને અવરોધશે નહીં.

તુલા

તુલા રાશિના જાતકો માટે છઠ્ઠા ઘરમાં આ સંયોગ શુભ માનવામાં આવતો નથી. આ સમય દરમિયાન તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને તમે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી શકો છો. નાણાંકીય સમસ્યાઓ પણ આવી શકે છે. જો તમે કોઈ વિવાદોમાંથી પસાર થઈ રહ્યા હોવ તો તેમાં તમને પૈસાની ખોટ થઈ શકે છે.

વૃશ્ચિક

બુધ આદિત્ય યોગ રચતા પાંચમા ભાવમાં સૂર્ય અને બુધનો સંયોગ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફળદાયી છે. ખાસ કરીને જેઓ PHD અથવા કોઈપણ સંશોધન, ગણિત અથવા ભાષા સંબંધિત અભ્યાસક્રમો કરી રહ્યાં છે. જો તમે તમારી કારકિર્દી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તે તેના માટે સારો સમય છે.

ધન

ધનુ રાશિના જાતકો, તમારા ઘરે સત્યનારાયણ કથા અથવા હોરા કરવા માટે આ સારો સમય છે. કારણ કે તે તમારા ઘર અને વ્યવસાયિક જીવનમાં ઘણું સૌભાગ્ય લાવશે. ઘરેથી નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સારો સમય છે.

મકર

ત્રીજા ગૃહમાં જોડાણ કોઈપણ સ્વરૂપમાં સંચારની તરફેણ કરે છે. આ જોડાણ મકર રાશિના લોકોને સર્જનાત્મકતા અને કલ્પનાની ભેટ આપશે. તમારે ફક્ત નાના ભાઈ-બહેનો સાથેના તમારા સંબંધોને લઈને સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે અજ્ઞાનતાને કારણે વિવાદ થઈ શકે છે.

કુંભ

બીજું ઘર બુધ સંદેશાવ્યવહારનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સૂર્ય શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી બીજા ઘરમાં આ સંયોગ કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન શક્તિશાળી વક્તા બનાવશે. પરંતુ, આ સંયોગ તમારા જીવનસાથી સાથે વિવાદ પેદા કરી શકે છે.

મીન

લગ્નમાં આ સંયોગ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થાય છે. તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. તમારું નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતા દરેકને પ્રભાવિત કરશે. તમારું મેનેજમેન્ટ તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓને પ્રભાવિત કરશે. તમને પ્રમોશન પણ મળી શકે છે. તમને સરકારી નીતિઓનો લાભ મળશે.

આ સમયગાળા દરમિયાન સૂર્ય-બુધના ફાયદાકારક પ્રભાવને વધારવાના ઉપાયો

⦁ ગાયોને રોજ રોટલી અને ગોળ ખવડાવો.

⦁ દરરોજ સવારે સૂર્યને દૂર્વા (ઘાસ) સાથે જળ અર્પણ કરો.

⦁ દરરોજ 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો.

⦁ શક્ય હોય તો ઘરમાં સત્યનારાયણ કથા અને હવન કરો.

⦁ દરરોજ એક દીવો પ્રગટાવો અને તુલસીના છોડની પૂજા કરો.

⦁ સારા સ્વાસ્થ્ય માટે આદુ અને ગોળનું નિયમિત સેવન કરો.

⦁ દરરોજ સૂર્ય નમસ્કાર કરો અને ધ્યાન કરો.

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું )

આ પણ વાંચો : ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો

આ પણ વાંચો : 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">