ક્યારેક સોનિયા ગાંધીએ કહ્યું હતું, ‘મારા બાળકો રોડ પર ભીખ માંગશે, પણ રાજકારણમાં નહીં આવે’ !
રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઔપચારિક પ્રવેશ બાદ કૉંગ્રેસમાં ઉત્સાહનું મોજુ છે. કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કર્યા છે. રાહુલે આગામી લોકસભા ચૂંટણીને જોતા પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે અને પ્રિયંકા કદાચ 4 ફેબ્રુઆરીએ લખનઉમાં જઈ કૉંગ્રેસ મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી શકે છે. Web Stories View more Plant In Pot : ઘરે […]

રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઔપચારિક પ્રવેશ બાદ કૉંગ્રેસમાં ઉત્સાહનું મોજુ છે.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કર્યા છે. રાહુલે આગામી લોકસભા ચૂંટણીને જોતા પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે અને પ્રિયંકા કદાચ 4 ફેબ્રુઆરીએ લખનઉમાં જઈ કૉંગ્રેસ મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી શકે છે.
પ્રિયંકાની ચોતરફ ચર્ચાઓ વચ્ચે શું તમે આ વાત જાણો છો કે સોનિયા ગાંધી ક્યારેય નહોતા ઇચ્છતા કે તેમના બાળકો રાજકારણમાં આવે. સોનિયાનો આની સામે સખત વાંધો હતો.

દરબાર પુસ્તક અને તેના લેખિકા તવલીન સિંહ
પત્રકાર તલવીન સિંહે પોતાના પુસ્તક ‘દરબાર’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
‘દરબાર’માં લખવામાં આવ્યું છે, ‘વાતો-વાતોમાં જ સોનિયા ગાંધીને તવલીન સિંહે પૂછ્યું કે શું તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો રાજકારણમાં આવે ? જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા બાળકો રોડ પર ભીખ માંગી લેશે, પણ રાજકારણમાં ક્યારેય નહીં આવે.’
જોકે સોનિયા ગાંધીએ તવલીન સિંહ સાથેની આ વાતચીત પોતાના પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ ભાવુકતામાં આ નિવેદન આપ્યું હશે, પરંતુ આજે તો સોનિયા ગાંધીના બંને બાળકો રાહુલ અને પ્રિયંકા રાજકારણમાં આવી ચુક્યાં છે.
[yop_poll id=801]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]