ફિલ્મકાર અનુરાગ કશ્યપનો હકિકતમાં TWITTER સન્યાસ કે પછી સૈક્રેડ ગેમ્સના ભાગ-2ની પ્રમોશનનીતિ
ફિલ્મકાર અનુરાગ કશ્યપે Twitter પર પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. અનુરાગે કહ્યું કે, તેની દીકરી અને પરિવારને ધમકી મળી રહી છે. Twitter પર જો હું ડર વગર બોલી ન શકું તો હું બોલશ જ નહીં. પરંતુ શું હકિકતમાં મામલો એવો જ છે જેવું અનુરાગ કહી રહ્યો છે. આ પણ વાંચોઃ મચ્છુ હોનારતની ઘટનાના […]
ફિલ્મકાર અનુરાગ કશ્યપે Twitter પર પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. અનુરાગે કહ્યું કે, તેની દીકરી અને પરિવારને ધમકી મળી રહી છે. Twitter પર જો હું ડર વગર બોલી ન શકું તો હું બોલશ જ નહીં. પરંતુ શું હકિકતમાં મામલો એવો જ છે જેવું અનુરાગ કહી રહ્યો છે.
આ પણ વાંચોઃ મચ્છુ હોનારતની ઘટનાના 40 વર્ષ પૂર્ણ, આ 10 તસ્વીર જોઈને તમારી આંખમાં પણ આંસૂ આવી જશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સૈક્રેડ ગેમ્સનો પહેલો ભાગ આવ્યો ત્યારે પણ અનુરાગ Twitterમાંથી ગાયબ થઈ ગયા હતા. અને થોડા દિવસ પછી તેનો બિજો ભાગ પણ આવી રહ્યો છે. થોડા સમય અગાઉ અનુરાગે કહ્યું કે, હું અવારનવાર આવી રીતે ગાયબ થતો રહું છું. અને એવી જગ્યાએ ચાલ્યો જાવ છું જ્યા ઈન્ટરનેટ હોતું નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અનુરાગે કહ્યું કે, 14 ઓગસ્ટના દિવસે પણ હું આવુ જ કંઈક કરવાનો છું. બસ હું ગાયબ થઈ જઈશ. ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, સોશિયલ મીડિયામાં તેના પરિવારને મળતી ધમકીથી અનુરાગ પરેશાન છે કે પછી તેની કોઈ પૂર્વ આયોજીત ચાલ છે.
જો કે ટ્વીટર પહેલા અનુરાગે કરેલી વાતને પણ ધ્યાનબહાર કરવી ન જોઈએ. અનુરાગે કહ્યું કે, જો તમારા માતા-પિતાને ફોન આવવા લાગે અને તમારી દિકરીને ધમકી મળે છે તો કોઈપણ વાત શા માટે કરશે. અને આ છેલ્લા ટ્વીટ બાદ હું Twitter છોડી રહ્યો છું.
[yop_poll id=”1″]