નેતાઓ માટે કોરોનાના કોઈ નિયમ નથી? સામાન્ય જનતાને કરાય છે દંડ, નેતાઓને કેમ રાહત?
કોરોના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણી પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરે છે. મોટાભાગની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બરાબર પાલન કરે છે, પરંતુ ભાજપના નેતાઓ પોતાના જ વડા કે સરકારના આદેશનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યાં છે. અમદાવાદના ઈસનપુરમાં ભાજપના વોર્ડ પ્રમુખ આતિશ પટેલ, કોર્પોરેટરોએ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી. રસ્તા પર લોકોના […]
કોરોના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણી પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરે છે. મોટાભાગની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બરાબર પાલન કરે છે, પરંતુ ભાજપના નેતાઓ પોતાના જ વડા કે સરકારના આદેશનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યાં છે. અમદાવાદના ઈસનપુરમાં ભાજપના વોર્ડ પ્રમુખ આતિશ પટેલ, કોર્પોરેટરોએ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી. રસ્તા પર લોકોના ટોળા એકઠા કરીને જન્મદિવસ ઉજવ્યો. આ ઉજવણીનું ઈસનપુર વોર્ડના મહામંત્રી જીતુ સોલંકીએ આયોજન કર્યું હતું, જેમાં કોર્પોરેટર ગૌતમ પટેલ, જીગીશા ઘડિયાળી, રંજન મસિયા સહિત લાંભા વોર્ડના પ્રમુખ માનસિંગ હાજર રહ્યાં. આતિશ પટેલ 15 દિવસ પહેલા જ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, આમ છતાં મહામારીની ગંભીરતા ન સમજનારા લોકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.
આ પણ વાંચો: દાહોદ: દારૂનો નશો કરી ડાન્સ કરતા શિક્ષકનો વીડિયો વાયરલ, જુઓ VIRAL VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો