સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ,રાજ્ય ચૂંટણી પંચે 6 મહાપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ, સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું હોવાનાં આક્ષેપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચે 6 મહાનગરપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં હાલ ફેરફાર કરવામાં આવ્યા છે તો 16 […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચે 6 મહાનગરપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં હાલ ફેરફાર કરવામાં આવ્યા છે તો 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોમાં પણ મહત્વના ફેરફારો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવુ સિમાંકન કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સિમાંકનનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, આ સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું હોવાનાં આક્ષેપ પણ થઈ રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો